Book Title: Shrimad Laghurajswamiji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ શ્રીમદ્ લઘુરાજસ્વામી ૨૭ લલ્લુજીના માતુશ્રીને આ સમાચાર મળતાં તેઓ પણ મુનિશ્રી પાસે પહોંચી ગયાં અને મુનિશ્રીને વિનંતી કરી કે લલુભાઈ હાલમાં બે વર્ષ વૈરાગ્યભાવે ઘરે રહે, ત્યારબાદ તેમને દીક્ષા લેતા પોતે રોકશે નહિ. આમ નક્કી થતાં સૌ વટામણ પાછા ફર્યા. વિ. સં. ૧૯૪૦માં ધર્મપત્ની નાથીબાઈએ એક પુત્રરતનને જન્મ આપ્યો, જેનું નામ મોહન રાખવામાં આવ્યું. બાળક જયારે સવા માસનું થયું ત્યારે લલલુજી તથા દેવકરણજી ગોધરા મુકામે ગુરુને વંદન કરવા ગયા અને દીક્ષાની પુન: માગણી કરી. ગુરુએ વૈરાગ્યનો બોધ આપ્યો અને હાલમાં ધીરજ રાખવા જણાવ્યું. લલુજીએ મુનિશ્રીને વટામણ પધારવાનું આમંત્રણ આપ્યું, જે તેમણે સ્વીકાર્યું અને તેઓ વટામણ મુકામે પધાર્યા. વૈરાગ્યના બોધથી રંજિત થયેલાં માતાજીએ લલુજીને દીક્ષાની સંમતિ આપી અને આમ, વિ. સં. ૧૯૪૦ના જેઠ વદ ત્રીજને મંગળવારે, શુભ મુહૂર્તમાં ખંભાત મુકામે તેમની તથા શ્રી દેવકરણજીની દીક્ષાઓ થઈ. તપશ્ચર્યા અને સાધુચર્યાનું પાલન: લલુજી મુનિની દીક્ષા પછી ખંભાત સંપ્રદાયના આ સંઘમાં લગભગ ચૌદ સાધુ દીક્ષિત થયા ને સંધ નવરચના પામ્યો, જેથી ગુરુજીની દૃઢ માન્યતા થઈ કે લલ્લુજી મુનિનાં પગલાં ઘણાં મંગળકારી છે. લાલુજી તથા દેવકરણજી મુનિ શાસ્ત્રાભ્યાસ, સ્તવન–ભક્તિ પદો વગેરે મુખપાઠ કરવામાં અને ધ્યાનાદિમાં પ્રવૃત્ત રહેવા લાગ્યા. લલ્લુજી મુનિ ખાસ કરીને ઉપવાસાદિ તપશ્ચર્યાનું વિશેષ આરાધન કરતા રહ્યા. સળંગ પાંચ વર્ષ સુધી તેમણે એકાંતરા ઉપવાસ કર્યા. એક સમયે તો તેમણે ૧૭ દિવસના સળંગ ઉપવાસ પણ કર્યા. મુનિશ્રી લલુજી તેમની સરળતા, ગુરુભક્તિ અને પુણ્યપ્રભાવથી સકળ સંઘમાં તથા સમાજમાં લોકપ્રિય થઈ પડયા. શ્રીમદ્ રાજચંદ્રજીનો સમાગમ: વિ. સં. ૧૯૪૬માં લલ્લુજી મુનિને ખંભાતના મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે થોડા વખતમાં શ્રીમદ્ રાજચંદ્ર નામના એક અસાધારણ આત્મજ્ઞાની મહાપુરુષ ખંભાત પધારવાના છે. દિવાળીના દિવસોમાં જ્યારે શ્રીમદ્ ખંભાત પધાર્યા ત્યારે અંબાલાલભાઈ તેમને શ્રી હરખચંદજી મહારાજ પાસે લઈ ગયા. ત્યાં ગુરુની આજ્ઞા લઈ ઉપાશ્રયના મેડા ઉપર પ્રથમ દર્શન દરમ્યાન જ શ્રી લલ્લુજીએ શ્રીમન્ને ત્રણ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને આત્માની ઓળખાણ તથા બ્રહ્મચર્યની દેઢના માટે માગણી કરી. શ્રીમજીએ પણ તેમને પૂર્વના સંસ્કારી આત્મા જાણી, પોતે ખંભાતમાં રહ્યા ત્યાં સુધી દરરોજ બોધ આપ્યો. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે ઉણોદરી, રસાસ્વાદત્યાગ ઈત્યાદિ તપની સાથે સાથે, સર્વ દય પદાર્થોની અનિત્યતાનો વિચાર કરી, તે સર્વને જોનાર જાણનાર હું આત્મા છું એવી ભાવનાનો અભ્યાસ કરવા કહ્યું. મુંબઈમાં વિશેષ સમાગમ : વિ. સં. ૧૯૪૭ અને ૧૯૪૮ ના ચાતુર્માસ વિટામણ અને સાણંદ મુકામે પૂરા કરી, થોડો સમય સુરતમાં રોકાયા અને ૧૯૪૯ નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7