Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 15
________________ પ્રાસ્તા વિ કે श्रेयांसि बहुविध्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वाऽपि यान्ति विनायकाः ॥ - પરમપૂજ્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહ, આવશ્યકસૂત્ર વગેરેની ટીકાઓ રચી તેમાં વૃત્તિની શરૂઆત કરતાં આ શ્લોક ટાંક છે. તેને ભાવાર્થ એ છે કે-મોટા માણસોને પણ કલ્યાણકારી કામો ફરતાં વિદને નડે છે. અને અકલ્યાણમાં પ્રવૃત્તિ કરનારાઓને કોઈ વિદ્ધ નડતું નથી.' .: આને તાદશ અનુભવ આપણને પરમપાવન શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનમંદિરનું નિર્માણ થયું તે વખતે તેમ જ એની પ્રતિષ્ઠાના પ્રસંગે થયો છે. શેઠશ્રી કસ્તુરભાઈએ વિમળ મંત્રી અને વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડીએ બંધાવેલ અને ભારતનાં દર્શનીય કલાધામોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતાં આબુ-દેલવાડાનાં જિનમંદિરને જીર્ણોદ્ધાર એવી ખૂબીથી કરાવ્યું કે, શિલ્પના નિષ્ણાત સિવાય બીજો કેઈ ભાગ્યે જ સમજી શકે છે, આ જીર્ણોદ્ધાર હમણું થયું છે. આ જીર્ણોદ્ધારમાં પ્રાચીન શિલ્પને યથાતથ સાચવવા સાથે જે ખાણના પથ્થરમાંથી આ મંદિર બંધાવવામાં આવ્યાં હતાં, તે ખાણુની શેલ કરી, તે જે ખાણમાંથી પથ્થર મેળવી, પૂર્વના શિલ્પીઓએ કરી હતી તેને જ અનુરૂ૫ કતરણી કરાવી આક્રશ તીર્થોદ્ધાર કરાવ્યા હતા. એ જ રીતે રાણકપુરમાં શ્રી ધરણાશાએ બંધાવેલ નલિની ગુમવિમાનના આકારનું મંદિર અતિ જીર્ણશીર્ણ થઈ ગયેલું હતું અને ત્યાં સાપ અને ચામાચીડિયાં ઘર કરી બેઠાં હતાં. એના લીધે એ મંદિર સાવ બિસ્માર હાલતમાં મુકાઈ ગયું હતું. શેઠશ્રીએ આ મંદિરને જીર્ણોદ્ધાર એવો નમૂનેદાર કરાવ્યો કે જેથી કેવળ ભારતમાં જ નહીં, પણ દુનિયાભરનાં દર્શનીમ સ્થાનમાં એની ગણના થવા લાગી. * * “શ્રી શત્રુંજ્ય સમો તીરથ નહીં' એમ રોજ સવારે પ્રતિક્રમણમાં સ્મરણ કરાતા શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં કેટલાંક જિનમંદિર ઝાંખાં, શ્યામ અને જીર્ણ થઈ ગયાં હતાં. તેને તેઓએ સુંદર બનાવરાવ્યાં. વળી એ તીર્થ ઉપર ચડવાને રસ્તો ખરબચડો, ઘસાયેલા ગોળ પથ્થરવાળા, વાંકાચૂકા ચડાવવાળા અને કઠિન હતો તેને સુંદર પગથિયાંથી સુગમ અને વૃક્ષોથી શોભાયમાન બનાવ્યું. * આટલું કરાવ્યા બાદ પણ તેમને એક વાત ખટક્યા કરતી હતી કે, દેવોની નગરી તરીકે વિખ્યાત બનેલા આ મહાપાવન તીર્થાધિરાજના મુખ્ય મંદિરનું એટલે કે દાદાના આલીશાન અને ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું રહે એ કઈ રીતે ઉચિત ને કહેવાય. ઢંકાયેલા શિલ્પ માટે શિલ્પશાસ્ત્રમાં “Ifમ€Tલીનાં પન' = વિનાશાત” અર્થાત “દ્વાર અને દીવાલ ઉપર કેરેલી કલાકૃતિઓને ઢાંકી દેવી તે વિનાશ કરનાર છે,' એમ કહ્યું છે, એટલે આ દોષને કોઈ પણ રીતે દાદાના મુખ્ય દેરાસરમાંથી દૂર કરવો જોઈએ. પરંતુ આ દબાયેલ શિલ્પને ખુલ્લું કરવાનું કામ સહેલું ન હતું, એટલું જ નહીં, પણ એમાં જોખમ પણ હતું. કેમ કે, પૂર્વના વહીવટદારોના દાક્ષિણ્યને લીધે મુખ્ય મંદિરના મંડોવરની આસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 232