________________
પ્રાસ્તા વિ કે श्रेयांसि बहुविध्नानि भवन्ति महतामपि ।
अश्रेयसि प्रवृत्तानां क्वाऽपि यान्ति विनायकाः ॥ - પરમપૂજ્ય મલયગિરિજી મહારાજે પંચસંગ્રહ, આવશ્યકસૂત્ર વગેરેની ટીકાઓ રચી તેમાં વૃત્તિની શરૂઆત કરતાં આ શ્લોક ટાંક છે. તેને ભાવાર્થ એ છે કે-મોટા માણસોને પણ કલ્યાણકારી કામો ફરતાં વિદને નડે છે. અને અકલ્યાણમાં પ્રવૃત્તિ કરનારાઓને કોઈ વિદ્ધ નડતું નથી.'
.: આને તાદશ અનુભવ આપણને પરમપાવન શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનમંદિરનું નિર્માણ થયું તે વખતે તેમ જ એની પ્રતિષ્ઠાના પ્રસંગે થયો છે. શેઠશ્રી કસ્તુરભાઈએ વિમળ મંત્રી અને વસ્તુપાળ-તેજપાળની બાંધવબેલડીએ બંધાવેલ અને ભારતનાં દર્શનીય કલાધામોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતાં આબુ-દેલવાડાનાં જિનમંદિરને જીર્ણોદ્ધાર એવી ખૂબીથી કરાવ્યું કે, શિલ્પના નિષ્ણાત સિવાય બીજો કેઈ ભાગ્યે જ સમજી શકે છે, આ જીર્ણોદ્ધાર હમણું થયું છે. આ જીર્ણોદ્ધારમાં પ્રાચીન શિલ્પને યથાતથ સાચવવા સાથે જે ખાણના પથ્થરમાંથી આ મંદિર બંધાવવામાં આવ્યાં હતાં, તે ખાણુની શેલ કરી, તે જે ખાણમાંથી પથ્થર મેળવી, પૂર્વના શિલ્પીઓએ કરી હતી તેને જ અનુરૂ૫ કતરણી કરાવી આક્રશ તીર્થોદ્ધાર કરાવ્યા હતા. એ જ રીતે રાણકપુરમાં શ્રી ધરણાશાએ બંધાવેલ નલિની ગુમવિમાનના આકારનું મંદિર અતિ જીર્ણશીર્ણ થઈ ગયેલું હતું અને ત્યાં સાપ અને ચામાચીડિયાં ઘર કરી બેઠાં હતાં. એના લીધે એ મંદિર સાવ બિસ્માર હાલતમાં મુકાઈ ગયું હતું. શેઠશ્રીએ આ મંદિરને જીર્ણોદ્ધાર એવો નમૂનેદાર કરાવ્યો કે જેથી કેવળ ભારતમાં જ નહીં, પણ દુનિયાભરનાં દર્શનીમ સ્થાનમાં એની ગણના થવા લાગી. * * “શ્રી શત્રુંજ્ય સમો તીરથ નહીં' એમ રોજ સવારે પ્રતિક્રમણમાં સ્મરણ કરાતા શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં કેટલાંક જિનમંદિર ઝાંખાં, શ્યામ અને જીર્ણ થઈ ગયાં હતાં. તેને તેઓએ સુંદર બનાવરાવ્યાં. વળી એ તીર્થ ઉપર ચડવાને રસ્તો ખરબચડો, ઘસાયેલા ગોળ પથ્થરવાળા, વાંકાચૂકા ચડાવવાળા અને કઠિન હતો તેને સુંદર પગથિયાંથી સુગમ અને વૃક્ષોથી શોભાયમાન બનાવ્યું.
* આટલું કરાવ્યા બાદ પણ તેમને એક વાત ખટક્યા કરતી હતી કે, દેવોની નગરી તરીકે વિખ્યાત બનેલા આ મહાપાવન તીર્થાધિરાજના મુખ્ય મંદિરનું એટલે કે દાદાના આલીશાન અને ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું રહે એ કઈ રીતે ઉચિત ને કહેવાય. ઢંકાયેલા શિલ્પ માટે શિલ્પશાસ્ત્રમાં “Ifમ€Tલીનાં પન' = વિનાશાત” અર્થાત “દ્વાર અને દીવાલ ઉપર કેરેલી કલાકૃતિઓને ઢાંકી દેવી તે વિનાશ કરનાર છે,' એમ કહ્યું છે, એટલે આ દોષને કોઈ પણ રીતે દાદાના મુખ્ય દેરાસરમાંથી દૂર કરવો જોઈએ.
પરંતુ આ દબાયેલ શિલ્પને ખુલ્લું કરવાનું કામ સહેલું ન હતું, એટલું જ નહીં, પણ એમાં જોખમ પણ હતું. કેમ કે, પૂર્વના વહીવટદારોના દાક્ષિણ્યને લીધે મુખ્ય મંદિરના મંડોવરની આસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org