Book Title: Sanskrit Dhatukosha Author(s): Amrutlal A Salot Publisher: Vanmali Tribhuvandas Shah Palitana View full book textPage 6
________________ [ 2 ]. આ ગ્રન્થની રચના મુખ્યત્વે કલિકાલ સર્વજ્ઞ, પ્રાત: સ્મરણય, પરોપકારી, વૈયાકરણ શિરોમણિ શ્રી હેમચન્દ્રાચાર્ય પ્રણીત સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણ અને હૈમ-ધાતુ પારાયણને આધારે કરવામાં આવી છે. જેથી શ્રી હેમચન્દ્રાચાર્યે સિદ્ધહેમ-વ્યાકરણના ધાતુ પાઠમાં કેટલાક ધાતુઓ સાથે ભિન્ન-ભિન્ન પ્રયોજન માટે નિશાની તરીકે મૂકેલા અક્ષરે, જેને અનુબન્ધ કહેવામાં આવે છે, તે આ ગ્રન્થમાં શ્રી સિદ્ધહેમ-વ્યાકરણના ધાતુપાઠના લીધા છે. એ અનુબ ધાતુના અર્થ પૂર્ણ થયા બાદ [ ] આવા કાટખૂણ-કોંસમાં મૂક્યા છે. આ ગ્રન્થ તૈયાર કરવામાં તથા તેને છપાવવામાં પૂરતી કાળજી રાખવા છતાં મતિ ભ્રમથી, દષ્ટિદેષથી કે મુદ્રણદોષથી જે કાંઈ ખલન યે અશુદ્ધિ રહી ગઈ હોય; તે તે સુધારી લેવા અને અમને જણાવવા સહૃદય વિદ્વાન મહાશયોને વિનીતભાવે નમ્ર પ્રાર્થના છે. પાલીતાણું [સૌરાષ્ટ્ર છે તા. ૩-૬-૧૯૬૨ ઈ નિવેદક– સલોત અમૃતલાલ અમરચંદPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 377