Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 334
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૨૮૧ શ્રી પચ્ચકખાણનાં સૂત્ર, અર્થ અને સમજૂતી પચ્ચખાણ લેનારને તે તે પચ્ચકખાણના સમયની મર્યાદા (દા.ત. સૂર્યોદયનો સમય૭.૦૦વાગે. દિવસ ૧૨ કલાકનો ગણીને) ૧) નવકાર-સહિઅં પચ્ચકખાણ સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી) દા.ત. ૭:૪૮ મિનિટે ૨) પરિસિ-પચ્ચખાણ સૂર્યોદયથી દિવસના ચોથો ભાગ (એકપ્રહર) એકપ્રહર=૩ કલાકે દા.ત. ૭:૦૦+ ૩ કલાક =૧૦:૦૦ વાગે ૩) સાઢ-પોરિસિ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ દોઢ પ્રહર) દોઢ પ્રહર=૪:૩૦+ ૭.૦૦ કલાક=૧૧:૩૦ વાગે ૪) પુરિમ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ્ન) (બે પ્રહર) બે પ્રહર= કલાક + ૭.૦૦ = ૧ વાગે ૫) અવઢ-પચ્ચખાણ સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ (ત્રણ પ્રહર) ત્રણ પ્રહર= ૯ કલાક + ૭:૦૦ = ૪ વાગે (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથીએકપ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનોદિવસ હોય ત્યારે૪વડે ભાગવાથી ૩ કલાકે એકપ્રહર થાય.) પચ્ચખાણ લેનારના જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિભેદો ૧) વિશુદ્ધ-પચ્ચક્ખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨) શુદ્ધ-પચ્ચખાણ સૂત્ર અને અર્થપોતે જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ) અર્ધશુદ્ધ – પચ્ચકખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે પણ જાણકાર પાસે ગ્રહણ કરે. ૪) અશુદ્ધ -પચ્ચખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. (પહેલો અને બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે તેવી આશાથી કાંઇક સારો પણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય)

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364