Book Title: Samvatsari Pratikraman Gujarati
Author(s): Ila Mehta
Publisher: Ila Mehta

View full book text
Previous | Next

Page 337
________________ ૨૮૪ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત યોગ્ય નથી. તે માટે યથાશક્ય પ્રયત્ન કરવો જ જોઈએ. એટલે કે કોઈ ન હોય તો પણ પચ્ચક્ખાણ પારવાની વિધિનો આગ્રહ જરૂર રાખવો જોઈએ. નવકારશીનું પચ્ચક્ખાણ કરનાર ભાગ્યશાળીએ દિવસ દરમ્યાન પૂર્ણ મુખશુદ્ધિ હોય ત્યારે યાદ રાખીને ‘મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ’ કરવું જોઈએ. તેમજ પહેલું બિયાસણું કરીને ઊઠતી વખતે અને તિવિહાર ઉપવાસમાં જ્યારે-જ્યારે પાણી વાપરવાનું (પીવાનું) થઈ ગયા પછી અચૂકપણે આ મુષ્ઠિસહિઅં પચ્ચક્ખાણ કરવું જોઈએ. હંમેશા ઓછામાં ઓછું નવકારશી અને ચવિહારનું પચ્ચક્ખાણ કરવા સાથે મુખશુદ્ધિ હોય ત્યારે અચૂકપણે મુઢિસિંહઅં પચ્ચક્ખાણ કરનાર મહાનુભાવને ૨૫ થી ૨૮ ઉપવાસનો લાભ એક મહિને થતો હોય છે, તે લાભ ચૂકવા જેવો નથી. આયંબિલ, એકાસણું અને બીજું બિયાસણું કરીને ઊઠતી વખતે અચૂકપણે મહાનુભાવે તિવિહાર અને મુક્રિસહિઅંનું પચ્ચક્ખાણ કરવું જોઈએ. ફરીવાર જ્યારે પાણી પીવાની જરૂર જણાય ત્યારે મુઢિ વાળી શ્રી નવકારમંત્ર અને મુઢિસિંહઅં પચ્ચક્ખાણનું પારવાનું સૂત્ર બોલીને પાણી વાપરી શકાય. કદાચ કોઈક આરાધકને મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાણ પારતાં ન આવડે તો જલદી ગુરુભગવંત પાસે શીખી લેવું. તે ન થાય ત્યાં સુધી મૂઠવાળી નવકાર ગણીએ પચ્ચક્ખાણ પારવું. એકલઠાણ-ઠામચઉવિહાર આયંબિલ-એકાસણું કર્યા પછી અચૂકપણે ચવિહારનું પચ્ચક્ખાણ તે જ વખતે કરવું જોઇએ. સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ પણ ચઉવિહારનું જ પચ્ચક્ખાણ લેવું જોઈએ. એક સાથે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરેલ હોવાથી વિશિષ્ટ તપ (આયંબિલ-એકાસણ આદિ) હોવા છતાં ‘પાણહાર’ ના બદલે ‘ચવિહાર’ નું જ પચ્ચક્ખાણ લેવું. છટ્ઠ-અક્રમ કે તેથી વધારે ઉપવાસના પચ્ચક્ખાણ એક સાથે લીધા હોય તો તેના બીજા દિવસે પાણી પીતાં પહેલાં ફરીવાર પચ્ચક્ખાણ લેવાનાં સૂત્ર અનુસાર ‘પાણહાર પોરિસિં...'નું પચ્ચક્ખાણ અવશ્ય લેવું જોઈએ. ચવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ લીધેલ હોય તો તે દિવસે સાંજે ગુરુસાક્ષીએ અને દેવસાક્ષીએ ફરીવાર સાંજના ચઉવિહાર ઉપવાસના પચ્ચક્ખાણમાં પારિકાવણિયાગારેણું આગાર બોલાતો ન હોવાથી તે રીતે

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364