Book Title: Samaysara Siddhi 07
Author(s): Kanjiswami
Publisher: Simandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot

View full book text
Previous | Next

Page 534
________________ પ૨૦ સમયસાર સિદ્ધિ ભાગ-૭ هههههههههه ( ગાથા–૨૩૩) जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदवो।।२३३।। यः सिद्धभक्तियुक्तः उपगूहनकस्तु सर्वधर्माणाम् । स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः ।।२३३।। यतो हि सम्यग्दृष्टिः टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन समस्तात्मशक्तीनामुपबृंहणादुपबृंहकः, ततोऽस्य जीवशक्तिदौर्बल्यकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव। હવે ઉપગૂહન ગુણની ગાથા કહે છે - જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૂહક છે સૌ ધર્મનો, ચિમૂર્તિ તે ઉપગૂહનકર સમકિતદૃષ્ટિ જાણવો. ર૩૩. ગાથાર્થ - [ : ] જે ચેતયિતા) [ સિદ્ધમવિત્તયુવત્ત: ] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે તુ ] અને [ સર્વધર્મામ્ ૩૫ નવ: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે (અર્થાતુ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [ 5 ] તે [ ૩૧દનવારી ] ઉપગૂહનકારી [ સગવૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા :- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત્ મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દૃષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપાવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. આ ગુણનું બીજું નામ “ઉપવૃંહણ” પણ છે. ઉપવૃંહણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છેઆત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપવૃંહણગુણવાળો છે.

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598