Book Title: Samaya Gyan Dipika
Author(s): Dharmadas
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -: ગ્રંથકર્તાની સૂચના: સમ્યજ્ઞાનદીપિકા, દષ્ટાંત-જેમ દીપકજ્યોતિના પ્રકાશનમાં કોઈ ઇચ્છાનુસાર પાપ-અપરાધ-કામ-કુશીલ વા દાન-પૂજા-વ્રત શીલાદિક કરે, અર્થાત જેટલાં સંસાર અને સંસારથી જ તન્મય આ સંસારનાં શુભાશુભ કામ-ક્રિયા-કર્મ અને એ સર્વનું ફળ છે તે આ દીપકજ્યોતિને પણ લાગતાં નથી તથા દીપકજ્યોતિથી દીપ-જ્યોતિનો પ્રકાશ તન્મયી છે તેને પણ જન્મમરણાદિક પુણ્ય-પાપરૂપ ( સંસાર) લાગતો નથી; તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી પરબ્રહ્મ પરમાત્મા સદાકાળ જાગતી જ્યોતિ છે તે મરતી નથી, જન્મતી નથી, નાની નથી, મોટી નથી, નાસ્તી નથી, અસ્તિ નથી, અહીં નથી કે ત્યાં નથી તથા તેને ન પાપ લાગે છે, ન તેને પુણ્ય લાગે છે, ન તે જ્યોતિ બોલે છે કે ન તે (જ્યોતિ) હાલે ચાલે છે એ જ્યોતિના અંદર બહાર કે મધ્યમાં સંસાર નથી; વળી તેવી જ રીતે તે જ્યોતિ છે તે સંસારની અંદર બહાર કે મધ્યમાં નથી, જેમ લવણનો કટકો પાણીમાં મળી જાય છે તેમ કોઈને જન્મ-મરણાદિક સંસારથી-દુઃખથી અલગ થવાની ઇચ્છા હોય તો તથા સદાકાળ એ જાગતી જ્યોતિથી મળી જવાની ઇચ્છા હોય તો તે પ્રથમ સદ્દગુરુઆજ્ઞા પ્રમાણે આ સમ્યજ્ઞાનદીપિકા નામના પુસ્તકને આદિથી અંતસુધી ભણો-મનન કરો. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 153