________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-: ગ્રંથકર્તાની સૂચના:
સમ્યજ્ઞાનદીપિકા, દષ્ટાંત-જેમ દીપકજ્યોતિના પ્રકાશનમાં કોઈ ઇચ્છાનુસાર પાપ-અપરાધ-કામ-કુશીલ વા દાન-પૂજા-વ્રત શીલાદિક કરે, અર્થાત જેટલાં સંસાર અને સંસારથી જ તન્મય આ સંસારનાં શુભાશુભ કામ-ક્રિયા-કર્મ અને એ સર્વનું ફળ છે તે આ દીપકજ્યોતિને પણ લાગતાં નથી તથા દીપકજ્યોતિથી દીપ-જ્યોતિનો પ્રકાશ તન્મયી છે તેને પણ જન્મમરણાદિક પુણ્ય-પાપરૂપ ( સંસાર) લાગતો નથી; તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી પરબ્રહ્મ પરમાત્મા સદાકાળ જાગતી જ્યોતિ છે તે મરતી નથી, જન્મતી નથી, નાની નથી, મોટી નથી, નાસ્તી નથી, અસ્તિ નથી, અહીં નથી કે ત્યાં નથી તથા તેને ન પાપ લાગે છે, ન તેને પુણ્ય લાગે છે, ન તે જ્યોતિ બોલે છે કે ન તે (જ્યોતિ) હાલે ચાલે છે એ જ્યોતિના અંદર બહાર કે મધ્યમાં સંસાર નથી; વળી તેવી જ રીતે તે જ્યોતિ છે તે સંસારની અંદર બહાર કે મધ્યમાં નથી, જેમ લવણનો કટકો પાણીમાં મળી જાય છે તેમ કોઈને જન્મ-મરણાદિક સંસારથી-દુઃખથી અલગ થવાની ઇચ્છા હોય તો તથા સદાકાળ એ જાગતી જ્યોતિથી મળી જવાની ઇચ્છા હોય તો તે પ્રથમ સદ્દગુરુઆજ્ઞા પ્રમાણે આ સમ્યજ્ઞાનદીપિકા નામના પુસ્તકને આદિથી અંતસુધી ભણો-મનન કરો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com