Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 8
________________ સામાચારી પ્રકરણ ભાગ-૧ | પ્રાસ્તાવિક ‘સામાથારીપ્રકરણ ગ્રંથશબ્દશઃવિવેચનભાગ-૧ના સંક્ષન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક ઉપકારીઓના ઉપકારનું સ્મરણ : -: येन ज्ञानप्रदीपेन निरस्याभ्यंतरतमः । ममात्मा निर्मलीचक्रे तस्मै श्रीगुरवे नमः ।। :‘સ્વાન્તઃ સુવાય' - આરંભ કરેલ, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ દ્વારા સ્વોપજ્ઞ ટીકાયુક્ત “સામાચારી પ્રકરણ' ગ્રંથ, જ્યારે “ગીતાર્થ ગંગા” સંસ્થા દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, ત્યારે તેના પાયામાં મારા જીવનમાં જેમની દિવ્ય કૃપાવૃષ્ટિ થઈ છે તેઓની યાદ, તેનું સ્મરણ સતત ધબકતું હોવાથી આપોઆપ તેઓશ્રીની સ્મૃતિ હૃદય સમક્ષ તરવરે છે. અજ્ઞાનપંકમાં મગ્ન, અગૃહીતસંકેતા કરતાં પણ મંદ બુદ્ધિવાળી છતાં સંયમ ગ્રહણ કરવાનાં સ્વપ્ન સેવી રહેલી એવી મને, યોગમાર્ગનો બોધ કરાવવામાં મારા માટે ધર્મબોધકર કૃતનિધાન, પરહિતદૃષ્ટા, વિદ્વદ્ વિભૂષણ, નિઃસ્પૃહી, યોગમાર્ગ મર્મજ્ઞ, પંડિત બિરૂદને ગૃહસ્થપણામાં જ ધરાવતા . મહેન્દ્રભાઈની પ્રથમ કૃપા મારા ગૃહસ્થપણામાં પ્રાપ્ત થઈ. ભાવનગરની સંસ્કૃત પાઠશાળના પંડિતવર્ય શ્રી ચંદ્રશેખર ઝા પાસે મહેન્દ્રભાઈ ગૃહસ્થપણામાં ન્યાયખંડખાદ્ય' ગ્રંથનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ દરમ્યાન પંડિતજી પાસેથી મહેન્દ્રભાઈને પ્રતિભા, તર્કશક્તિ અને પ્રકાંડ વિદ્વત્તાની પ્રશંસા સાંભળી હતી અને પ્રત્યક્ષ મુલાકાત થતાં પણ તેવો આનંદ અનુભવ્યો. ધર્મની સન્મુખ લઈ જઈ સંયમનું ઘડતર કરનાર પરમોપકારી પૂ. ચારિત્રશ્રીજી મહારાજનાં શિષ્યરત્ના પૂ. હેમલતાશ્રીજી મહારાજ અને તેમનાં શિષ્યરત્ના પ. પૂ. નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ તથા મને સંયમમાર્ગનું ખેંચાણ કરાવનાર સહાધ્યાયી પૂ. ભક્તિધરાશ્રીજી મહારાજના અનુગ્રહથી કોઈક પુણ્યઘડીએ જાણે “ઘેર બેઠાં ગંગા આવી' હોય તેમ પં. મહેન્દ્રભાઈ પાસે “મુક્તાવલી'નો અભ્યાસ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. એટલું જ નહીં સાથે સાથે યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, ઉપમિતિભવપ્રપંચાકથા, કાત્રિશત્ દ્વાત્રિશિકા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપાધ્યાયજી મહારાજનાં ૧૨૫, ૧૫૦ અને ૩૫૦ ગાથાનાં સ્તવનો અને શિરમોર ગ્રંથરત્ન શ્રી વિશેષાવશ્યક ભાષ્યના અધ્યયનની પણ સુવર્ણ તક મળી. કોણ જાણે તેમણે મારામાં કાંઈક ઉત્થાનરૂપ ભાવિયોગ્યતા નિરખી હશે કે જેથી તેઓ પરોપકારપરાયણતાના સ્વભાવે, નિઃસ્વાર્થભાવે પ્રદાન કરતા ગયા, અને હું જૈનશાસનનાં અનુપમ તત્ત્વોનો રસાસ્વાદ માણતી જ ગઈ. એમણે મને પુણ્યથી પ્રાપ્ત થયેલા, દુર્ગતિને હરનાર, મહાનિધાન એવા જિનમતનું દર્શન કરાવ્યું અને મારે માટે આંતરિક અંધકારથી વ્યાપ્ત અને નહીં દેખાતા અપ્રગટ મોક્ષમાર્ગને પ્રકાશિત કર્યો. વિચક્ષણ અને કુશાગ્ર પ્રજ્ઞાના ધારક એવા તેમના શબ્દ શબ્દમાં મને જિનવચનોનો અતિ આદર જણાતો રહ્યો અને મારા સંયમ લેવાના કોડમાં પ્રાણ પુરાયા, એ મારા જીવનની શ્રેષ્ઠ-ધન્યતમ ક્ષણો હતી. શિલ્પી મૂર્તિને આકાર આપવામાં અને ચિત્રકાર રેખાઓને ઉપસાવવામાં જે મહેનત કરે, તેના કરતાં પણ કંઈ ગણી અધિક મહેનત કરી તેમણે મને સન્માર્ગ બતાવ્યો અને જ્ઞાનયોગની સાધનાની રુચિ જગાડી, જેથી મારા જીવનમાં turning point- વળાંક આવ્યો અને જ્ઞાનપ્રાપ્તિ પ્રત્યેનો જીવંત પક્ષપાત નિત્ય રહ્યા કર્યો; પણ જ્યાં દોઢ વર્ષ સુધી જિનવચનામૃત રસાસ્વાદ કર્યો ત્યાં તો મહેન્દ્રભાઈએ પ્રવ્રજ્યા સ્વીકારી સાધનાના પંથે પ્રયાણ કર્યું અને પં. મહેન્દ્રભાઈ શ્રીશ્રમણસંઘના વિરલ, તેજસ્વી તારક મુનિરાજશ્રી મોહજિતવિજયજી મહારાજ (મોટા પંડિત મહારાજ) બન્યા અને પછી પણ તેમની વિશેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 296