Book Title: Sadhak Jano mate Vivikta Sthanni Aavashyakta
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૫૭ સાધક જેને માટે વિવિક્ત સ્થાનની આવશ્યકતા એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ સાધકજને માટે અધિક ઉપયેગી છે. સહુ કે શ્રેયસાધક જનેને શરીરબળ, મનબળ અને હૃદયબળનું પિષણ આપનાર એકાન્તવાસ છે. જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકારના સંકલ્પ–વિકપ ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમ ગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરે–એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરે એ સાધક જને માટે હિતકર નથી. સમાધિશતકમાં વાચકવર પૂ. . શ્રી યશોવિજયજી કહે છે કે – “ હેત વચન મન ચપળતા, જન કે સંગ નિમિત્ત; - જન સંગી હવે નહિ, તાતે મુનિ જગમિત્ત.) મનુષ્યોના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે–નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, માટે મુનિએ-- ગીએ અજ્ઞાની મનુષ્યને સંસર્ગ તજ. જે ગીમુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપંચમાં ફસાય છે, અને માયાના પ્રપંચમાં ફસાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યોને સંસર્ગ તજ. જે મુનિરાજ મનુષ્યસંસર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10