________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯) સર્વમાન્ય ધર્મ
(ચોપાઈ ). ધર્મતત્ત્વ જો પૂછવું મને, તો સંભળાવું સ્નેહે તને જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ૧
ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને, દળવા દોષ. ૨
સત્ય શીલ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. ૩
પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com