Book Title: Prashnottar Prakash Part 02
Author(s): Sagarchandraji Maharaj
Publisher: Gokaldas Mangaldas

View full book text
Previous | Next

Page 25
________________ - S પ્રશ્ન :– આગમ અષ્ટોતરીને “સંવછર પકડ્યું પ્રતિદિ' આપેલે પાઠ તમે તેની ટીકા વગર કેમ આપે છે? શું તેની ટીકામાં સંવત્સરી પર્વની આચરણને પ્રમાણભૂત ગણવાને સ્પષ્ટ લેખ નથી? તે સ્પષ્ટ ખુલાસો હોવા છતાં તે પાઠને બહાર નહિ લાવનારને દુરાગ્રહી ગણવા કે નહિ? શું તમારા લખવા પ્રમાણે સંવત્સરી પર્વ સિવાય બીજા પર્વમાં આચરણ કરાય છે તે તમને મંજૂર છે? ઉત્તર:––ઉપરોક્ત પાઠની ટીકા પાસે ન હતી તેથી નહોતી આપી. ટીકાકાર વ્યાખ્યા મૂલમાં હોય તેની કરે. તેથી ઉલટી ટીકા કરે તો તે પ્રમાણિક નજ ગણાય. મૂળ જે વિધિ પ્રતિપાદન કરે તો ટીકા તેને નિષેધ કરે એમ કેમજ બને ? તમારા લખવા મુજબ સંવત્સરી પર્વની આચરણાને પ્રમાણભૂત ગણવાને સ્પષ્ટ લેખન હોય તો શા માટે તમે છપાવતાં નથી ? ઉપરોક્ત પશ્નને બીજો ભાગ આ ચર્ચામાં પ્રસ્તુત જ નથી કેમકે બીજા પર્વમાં પર્યુષણ કે સંવત્સરી કરવાનું અમે જણાવ્યું જ નથી. પ્રશ્ન ર૩: ---સંવર વિ એ જુદું લખવાનું કારણ શું? શું સંવત્સરી પર્વમાં આવતી નથી ? ઉત્તર–તે તે ગ્રંથકાર જાણે. એટલું તે સ્પષ્ટ છે કે અન્ય કાંઈ પર્વો છે જ્યારે પર્યુષણ એ પર્વાધિરાજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34