Book Title: Pragnapana Sutra Part 01
Author(s): Munichandrasuri, Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 15
________________ श्री प्रज्ञापना सूत्र भाग १ જે જીવસમાસને નામે ઓળખાયાં, તેની માર્ગણા-શોધ માટે ચૌદ માર્ગણાસ્થાનો નક્કી કરવામાં આવ્યાં. આ માર્ગણાસ્થાનો એટલે કે શોધ માટેનાં દ્વારા તે જીવોના ગતિ આદિને કારણે થતા વિવિધ પ્રકારે ભેદો છે. પ્રથમ પ્રકારના ઝોકનું દૃષ્ટાન્ત પ્રજ્ઞાપના પૂરું પાડે છે. અને દ્વિતીય પ્રકારનો ઝોક પ્રાચીન કર્મપ્રકૃતિ આદિ કર્મસાહિત્ય, પખંડાગમ વગેરેમાં જોવા મળે છે. વસ્તુસ્થિતિ આવી હોઈ પૌવપર્યની વિચારણા ઘણી કઠણ બની જાય છે. પંદરમી શતાબ્દી કે તે પછી પણ જ્યારે સ્થાનકવાસી પરંપરાએ આગમોની વિચારણાને ભાષામાં થોકડા રૂપે રજૂ કરવા પ્રયત્ન કર્યો, ત્યારે એના એ જ માર્ગણાકારો વગેરે બાલ જીવને સરળ રીતે સમજાય એવી રીતે રજૂ કર્યો, અને અંગ ગણાતા સ્થાનાંગમાં પણ તે જ સંખ્યાને મુખ્ય રાખીને હકીકતો રજૂ કરવામાં આવી છે. પણ જે કાળનું સ્થાનાંગ છે તે જ કાળમાં જટિલ રીતે પણ જીવ અને કર્મની હકીકતો રજૂ કરવામાં આવી હતી. આથી માત્ર વિષયનિરૂપણની સરલ કે જટિલ પ્રક્રિયા અથવા તો વિષયની સૂક્ષ્મ કે ગંભીર ચર્ચા જોઈને પૌવપર્યનો વિચાર નિર્ણાયકબની શકે એમ નથી. કારણ, એવી રચનાનો આધાર લેખકના પ્રયોજન ઉપર છે, નહીં કે તેમાં ચર્ચાતા સૂક્ષ્મ કે સ્થૂલ વિષય ઉપર. આથી પ્રજ્ઞાપના કરતાં પખંડાગમની ચર્ચા ઘણી જ આગળ વધી ગયેલી જણાય છે, છતાં પણ માત્ર તે બન્નેમાં ચર્ચિત વિષયની સૂક્ષ્મતા કે સ્થલતા ઉપરથી તેમના પૌવપર્યને નક્કી કરવામાં ગંભીર ભૂલ થવા સંભવ છે. આથી કોઈ બીજો જ માર્ગ લઈને તેવા ગ્રંથોનો નિર્ણય સ્વતંત્ર રીતે કર્યા પછી જ તેમનું પૌવપર્ય નક્કી થઈ શકે. બન્ને પ્રકારના સાહિત્યનું મૂળ બન્નેને મતે દૃષ્ટિવાદ છે. આથી દૃષ્ટિવાદના જ વિષયને અનેક રીતે અનેક પ્રયોજન સિદ્ધ કરવા અનેક આચાર્યોએ નિરૂપિત કર્યો છે. આ પણ એક મુશ્કેલી છે – જેથી પૌવપર્ય નક્કી કરવામાં સ્કૂલ કે સૂક્ષ્મ વિચાર પ્રસ્તુતમાં બાધક બને છે. અન્યથા એ કહેવું બહુ સરલ હતું કે પખંડાગમમાં જે વિચારની સૂક્ષ્મતા દેખાય છે તે પ્રકારની સૂક્ષ્મ ચર્ચા પ્રજ્ઞાપનામાં નથી માટે તે પખંડાગમ કરતાં પ્રાચીન છે. પરંતુ ઉપર જણાવેલી મુશ્કેલીને કારણે માત્ર આ દલીલને આધારે પ્રજ્ઞાપનાને પ્રાચીન ઠરાવવું એ અયોગ્ય જણાય છે. તેથી તે માર્ગ છોડી દેવો એ જરૂરી છે. અને ષખંડાગમ અને પ્રજ્ઞાપના – એ બેમાં કોણ પ્રાચીન એની વિચારણા જુદી જ રીતે કરવી જરૂરી છે. એ કર્યા પછી ઉક્ત દલીલનો ઉપયોગ થઈ શકે. એક વાત તો નિશ્ચિત જ છે કે પખંડાગમમાં – તેના કેટલાક ભાગોમાં – જે પ્રકારે અનુયોગદ્વારસૂત્રમાં અનુયોગદ્વાર વડે વ્યાખ્યા કરવાની પદ્ધતિ એટલે કે ન નિક્ષેપ આદિ પદ્ધતિ દ્વારા વસ્તુનિરૂપણ કરવાની જે પદ્ધતિ મળે છે, તેનું જ અનુસરણ સ્પષ્ટ છે. એવું કાંઈ જ પ્રજ્ઞાપનામાં નથી, એ બાબત પ્રજ્ઞાપનાની પખંડાગમ કરતાં પ્રાચીનતા નિર્વિવાદપણે સિદ્ધ કરે છે. વળી, પ્રજ્ઞાપનાનો સમય, આગળ જણાવવામાં આવશે તે પ્રમાણે, ઈસ્વીસન પૂર્વેનો જ છે; જ્યારે પખંડાગમની રચના વીર નિર્વાણ પછી ૬૮૩ (ઈ. ૧૫૬) વર્ષ પછી જ ક્યારેક થઈ છે. તેથી તો નિર્વિવાદપણે કહી શકાય કે પ્રજ્ઞાપના એ ષટ્રખંડાગમથી પૂર્વવર્તી જ છે. વળી, ૧૪ જીવસ્થાન, ૧૪ ગુણસ્થાન જેવી સ્થિર પ્રક્રિયા જે કાળમાં નિશ્ચિત થઈ, એટલે કે વિચારણાનાં અનેક દ્વારો વડે પૂર્વકાળે જે વિચાર થતો હતો તેને સ્થાને ૧૪ અવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને લઈને વિચાર કરવાની પદ્ધતિ જે કાળે સ્થિર થઈ, ત્યાર પછીના કાળે તેનું અનુસરણ બરાબર થયું છે. આવી કોઈ નિશ્ચિત પરંપરા પ્રજ્ઞાપનામાં દેખાતી નથી, પરંતુ ખખડાગમમાં સ્પષ્ટ છે. આથી સિદ્ધ થઈ શકે છે કે પ્રજ્ઞાપના કરતાં પખંડાગમ એ પછીના કાળની રચના છે. આમ પ્રજ્ઞાપના અને ષખંડાગમનું પૌવપર્ય અનેક રીતે સિદ્ધ કરી શકાય છે, એટલે પ્રજ્ઞાપનાને પખંડાગમની પૂર્વવર્તી ગ્રંથ માનવો જરૂરી છે. પ્રજ્ઞાપનાના કતાં અને એમનો સમય પ્રજ્ઞાપનાના મૂળમાં તો ક્યાંય તેના કર્તાનો નિર્દેશ નથી. પણ તેના પ્રારંભના મંગલ પછી બે ગાથાઓ છે, જેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિએ પણ કરી છે. છતાં તેઓ બન્ને તે બન્ને ગાથાઓને પ્રક્ષિપ્ત જ માને છે. તે ગાથાઓમાં 12 “ –

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 554