Book Title: Prabuddha Jivan 2008 12 Author(s): Dhanvant Shah Publisher: Mumbai Jain Yuvak Sangh View full book textPage 3
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૭ વર્ષ : (૫૦) + ૧૮ ૭ અંક : ૧૨ ૭ તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ♦ પ્રભુટ્ટુ જીવા પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ મેરા ભારત મહાન...? મેરા ભારત મહાન અને આજે દરેક ભારતવાસી અંદરબહારના આતંકવાદીથી છે પરેશાન!! માત્ર દશ આતંકવાદીઓએ આપણા ‘મહાન’ ભારતને હાંફતું કરી દીધું !! સામી છાતીએ અનેકો આવ્યા હોત તો આપણાં સૈન્યે એની શી દશા કરી હોત ? ત્યારે ભારત ‘મહાન'ના નગારા વાગત જ. નજીકના ભૂતકાળ પાસે જાવ, આપણા સૈનિકો આ ભારતને મહાન સાબિત કરી ચૂક્યાં છે. ભારત સર્વ ક્ષેત્રે મહાન જ છે, મહાન રહેવાનું જ છે, એની મહાનતાનો ‘તાજ’ અદાલતમાં ખડા કરવા જોઈએ. ૨૬ મીની ઘટનાથી પ્રત્યેક નાગરિકનું મન ક્ષુબ્ધ બની ગયું છે. લોહી ઉકળી ઊઠ્યું છે. જેમણે અકારણ જીવન ગુમાવ્યા છે–અને એ થકી જે જે કુટુંબો અને બાળકો છિન્ન ભિન્ન થયા છે એ ઘટના માટે કોઈ ધર્મ ચિંતનનો તાળો બેસતો નથી! દશ આતંકવાદીઓ કે એમની પાછળ રહેલાં એમના આગેવાનોનું આ બધાએ આ જન્મમાં તો કાંઈ બગાડ્યું નથી જ. તો ? પૂર્વ જન્મમાં આ બધાંએ એ આતંકવાદીઓનું કાંઈ બગાડ્યું હશે? એ પણ સમૂહમાં ! કો કર્મનો સિદ્ધાંત અહીં ‘કામ' લાગે છે? શૂન્યમનસ્ક થઈ જવાય છે!! બધાં ગ્રંથો થોથાં આ અંકના સૌજન્યદાતા શ્રીમતી ઈલાબેન મોદી સ્મૃતિઃ ચંપકલાલ મોદી કોઈ છીનવી શકશે નહીં. કારણ કે આ ભારતના બહુસંખ્ય નાગરિકના જીવનમાં સતત પુરુષાર્થ છે, હિંમત છે, જીંદાદિલી છે, નિડરતા છે, બુદ્ધિ કૌશલ્ય છે, સહિષ્ણુતા છે અને ચિંતન છે. જેવા લાગવા માંડે છે. કદાચ આપણા જ્ઞાનની મર્યાદા હશે!! નક્કી આ ઘટના ધર્મ ઝનૂનનું જ પરિણામ છે. જેને કાર્લ માર્કસે ‘અફિણ' કહ્યું છે. બાળપણથી આવા ‘અફિણો' પાવાવાળી શાળા વહેલી તકે જગતના સર્વે સ્થળે બંધ થવી જોઈએ. માનવ જે ધર્મમાં જન્મ્યો હોય કે પછી પાછળથી એણે જે ધર્મ અપનાવ્યો હોય, તો એને પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે એ અનુભવવાનો હક છે, પણ ‘મારો જ ધર્મ સર્વ શ્રેષ્ઠ છે, સર્વથી શ્રેષ્ઠ છે' એવું કહેવાનો એને કોઈ અધિકાર નથી જ. એ માત્ર બાલિશતા જ છે. મૂળમાં આ ‘કેફ’ છે પરંતુ આ મહાનતા ટકાવવા માટે આ ગુણોની સાથે ‘જાગૃતિ’ની પણ એટલી જ જરૂરત છે. જેવો જન આક્રોશ અને જાગૃતિ તા ૨૬ નવેમ્બરની ઘટના પછી ઉમટ્યો હતો, એ ટકી રહેવો જોઈએ જ. નિર્માલ્ય અને બેજવાબદાર રાજકીય આગેવાનોને પ્રત્યેક ચૂંટણી સમયે ચૂંટી ચૂંટીને એમના ઘર ભેગા કરવા પડશે. આ તે કેવી લોકશાહી? નિર્દોષ નાગરિકો અને વફાદા૨ સિપાઈઓના જીવન હણાયા હોય, પ્રજા અસુરક્ષિતતાના ભયમાં તડપતી હોય, આક્રંદ અને આક્રોશ હોય ત્યારે ‘રાજીનામું’અને આપી ઘર ભેગા થઈ જવાનું? કપડાં ખંખેરીને ભાગી જવાનું ? આવા રાજકીય નેતાઓને તો અદાલતમાં ખડા કરી એમનો ‘હિસાબ’ માગવો જોઈએ. જનતાને પૈસે ‘જલસા' કરવાવાળા અને લાખોના ખર્ચથી સુરક્ષા કવચ સાથે ફરનારા એ બધાં રાજનેતા અને સનદી અધિકારીઓને એમની જવાબદારીની નિષ્ફળતા માટે કડકમાં કડક શિક્ષા થવી જોઈએ, લોક આ ‘કેફ'માંથી જ બધાં વિનાશ ઊભા થાય છે. જેણે ‘જન્નત’ જોયું નથી, જેના અસ્તિત્વના કોઈ પૂરાવા નથી, એને પમાડવાનો ‘પાનો' અને શુરાતન ચડાવાય છે, અને ગુલાબનાં ફૂલોને ધતૂરાના ફૂલો બનાવી દેવાય છે. મહાવીરે એટલે જ ‘અનેકાંત’વાદનો સિદ્ધાંત જગતને આપ્યો. માત્ર આ એક સિદ્ધાંતનો પ્રચાર થાય તો જગત વિશ્વશાંતિનાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28