Book Title: Prabuddha Jivan 2008 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૧૦ નજર ન લાગે માટે રાખ્યું હતું. આમાં બાળકને એક વર્ષ સુધી બીજાના કપડાં પહેરાવીને ભિખારી જેવો રાખવાની માન્યતા હતી. વળી જેમ પિતા વીરચંદભાઈને ત્યાં, તેમ મામાને ત્યાં પણ કોઈ સંતાન નહોતું. આથી બાળક ભીખાનો ખૂબ લાડકોડથી ઉછેર થવા લાગ્યો. સૌકોઈ એમની સંભાળ રાખતાં. એને ભાવે તે ખાવાનું લાવી આપતાં. બાળકનો બાંધો નબળો હતો, સ્વભાવે બીકણ હતો અને એમાં લાડકોડમાં ઊછરવાનું મળ્યું. શરૂઆતના ચારેક વર્ષ તો ખૂબ લાલનપાલન પામ્યા. હીરોીના પારણે હીંચોળાઈને ભીખાલાલ ચાર વર્ષના થયા. ધીરે ધીરે સહુને આશા જાગી કે આ બાળક જીવતું રહેશે. એનો સુકલકડી બાંધો જોઈને મામાને ચિંતા થતી. માતા એના જતનમાં કોઈ ખામી રાખતા નહીં. ભારે લાડકોડમાં ભીખાલાલે ચાર વર્ષ પસાર કર્યાં. એવામાં એકાએક માતાનું સુવા રોગમાં અવસાન થયું. દાયણના હાથે સુવાવડમાં વધુ પડતું લોહી પડતા શરીર ફિક્કું પડીએ થોડા દિવસ મળ્યો નહીં એટલે એની તપાસ કરી તો ખબર માસાનો વનમાં આવેલી આફત અંગે એમણે ક્યારેય વસવસો કરેલો નહીં. બંનેના સ્વભાવ સાવ જુદા, પરંતુ વિરોધી સ્વભાવવાળા હોવા છતાં એકબીજાની ક્ષતિની પૂર્તિ કરતાં હતાં. બાળક ભીખાલાલે બાળપણમાં આવું દાંપત્ય જોયું. ભીખાલાલે નિશાળે જવાનું શરૂ કર્યું. એની સાથે એક છોકરો ભણતો હતો જતું અને ધીરે ધીરે શરીર ઘસાતું જતું. ચાર વર્ષના બાળકને માતાના અવસાનની ઝાઝી તો શી સમજ પડે? પરંતુ માતાની વિદાયથી એના જીવનમાં એક નવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પડી કે એ છોકરાની માતા મૃત્યુ પામી હતી. પોતાની માતા પણ એક વાર મૃત્યુ પામી હતી એ વાત ભીખાલાલે બાળગોઠિયાને કરીને પ્રશ્ન કર્યો કે મા આપણી પાસેથી ક્યાં જતી હશે ? આપણા વિના એ ક્યાં રહેતી હશે ? એમની માતાના અવસાનના સમાચાર સાંભળી માસી દોડી આવ્યાં. 'મા મરજો પણ માસી ન મરજો' એ કહેવત પ્રમાણે માસીએ આ ચાર વર્ષના બાળકની સંભાળ લેવાનું શરૂ કર્યું. વરસોડામાં કારભારી તરીકે કામ કરતા વીરચંદભાઈ દૂરંદેશી ધરાવનારા પુરુષ હતા. એમણે જોયું કે આ દીકરાની બરાબર સંભાળ લેવાય તે જરૂરી છે. એમ થાય તો જ વંશ ચાલુ રહે. આથી એમણે માસામાસીને એની સોંપણી કરી. વિંછીયાથી તેને બીજે ગામ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૮ આમાં ખુવાર થઈ ગયાં હતાં. માસાએ સટ્ટો ખેલ્યો, એમાં સઘળી સંપત્તિ ગુમાવી દીધી. માસીના જીવનમાં આફત આવી, પણ તેઓ સહેજેય હિંમત હાર્યું નહીં. માસી બાળપણમાં ભરતગૂંથણનો કસબ શીખ્યા હતા. ઝીકસતારાનું કામ શીખ્યાં હતાં. દુઃખના દિવસોમાં આ કસબ મદદે આવ્યો. માસી આમાંથી સારી એવી ક્રમ મેળવતા અને મોભાથી ઘર ચલાવતો. માસીનું પહેલું વહાલ ભીખા પર હતું. આથી એ માગે એટલા પૈસા આપતા અને એ ઈચ્છે એટલો સમય એની પાછળ પસાર કરતા. લઈ ગયાં. એ ગામ મોટું શહેર પણ નહોતું અને તદ્દન નાનું ગામડું પણ નહોતું. માસીને ભીખા પર અગાધ પ્રેમ હતો એટલે એને માની ખોટ વરતાવા દીધી નહીં. વળી માસીના રાજમાં ભીખાલાલને લહેર પડી ગઈ. આખો દિવસ રમવાનું, ફરવાનું અને માસીના હાથનું મીઠું જમવાનું! મિત્રો સાથે કોડીએ ૨મે અને વખત આવ્યે કજિયા-કંકાસ વહોરી લાવે. માટીના શિવલિંગ બનાવે અને પૂજા-ઉત્સવ માણવા પણ દોડી જાય. ક્યારેક મંદિરોના નગારા ફોડી આવે તો ક્યારેક લીધેલી લત પૂરી કરવા જમીન પર આળોટે અથવા કપડાં ફાડી નાખે. માસી ભીખાને ખૂબ જાળવે, એના ધીંગામસ્તી સહન કરે. મા-વિહોણો આ બાળક બાર બાદશાહી માણતો હતો ભીખાલાલને માનવીના ખમીરનો પહેલો ખ્યાલ માસી પાસેથી મળ્યો. જિંદગીને ઝિંદાદિલી માનનાર આ સર્જક એમનો પહેલો પાઠ એ માસી પાસેથી શીખ્યા. જીવનમાં ભરતી અને ઓટ આવ્યા કરે છે એમ માસીના જીવનમાં ભરતી પછી એકાએક ઓટ આવી. એ જમાનામાં સટ્ટાનો છંદ ઘણાને લાગ્યો હતો. કેટલાંય કુટુંબો એ છોકરાએ કહ્યું, 'મારી મા આકાશમાં ગઈ છે. રાતે સૂતો સૂતો હું એને તારાઓની વચ્ચે શોધું છું.' બાળક ભીખાલાલ પણ રાતે પથારીમાં પડ્યો પડ્યો આકાશના તારાઓને ટગર ટગર નજરે જોયા કરતો હતો. પશ્ચિમ બાજુ જુએ, પૂર્વ બાજુ જુએ, વિશાળ આકાશમાં ચારેકોર આંખ ફેરવ્યા કરે : ક્યાંક માનો ચહેરો દેખાઈ જાય છે?! ક્યાંક માની ભાળ મળી જાય છે ? ! જરા એને પૂછી લઉં કે મને અહીં એકલો-અટૂલો મૂકીને તે આમ આકાશમાં કેમ રહે છે? તારા વિના મને ગમતું નથી તો તને મારા વિના કેમ ગમે છે? અંધારી રાત્રે તારાઓની સૃષ્ટિમાં માતાના ચહેરાને પામવા માટે નાનકડા બાળકની આંખ આખા આકાશના વિશાળ પટમાં ફરી વળતી હતી. બાળક ભીખાલાલે આવી તો કેટલીય રાતો પસાર કરી. આશાથી આંખ માંડે અને લાંબા સમય બાદ નિરાશાથી સૂઈ જાયઃ ‘કેમ દેખાતી નથી મારી માતા?’ ક્યારેક પેલા ગોઠિયાને પૂછે તો એ પણ એ જ જવાબ આપે કે ‘હું પણ મારી માને રોજ રાતે તારાઓની દુનિયામાં જોવા મથું છું પણ એ ક્યાંય દેખાતી નથી. કેટલીયે રાત્રિઓ એ રીત પસાર થઈ ગઈ અને ભીખાલાલે માશી (મા જેવી) માસીથી પોતાના મનને મનાવી લીધું. માસીની પ્રેમાળ છાયાનો, માના સાન્નિધ્યનો અનુભવ કરતાં ભીખાલાલના હૃદયના સિંહાસન પર માના સ્થાને માસીબાની મૂર્તિ બિરાજમાન થઈ રહી. એક વાર બાલાભાઈના ખબરઅંતર પૂછવા એમના પિતા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28