Book Title: Prabuddha Jivan 2008 09
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ તા. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૮ આ સાચા સુખની પ્રીતિ કેવી રીતે થાય છે તે બતાવતા શાસ્ત્રો સમજાવે છે કે પ્રબુદ્ધ જીવન સમ્યક્ત્વ પામ્યા પછી મુક્તિના આનંદનું સાચું સુખ પ્રાપ્ત થાય છે. હવે જીવને પૌદ્ગલિક સુખોની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ છે તેથી તેના પ્રત્યે ઉદાસીનતા પ્રગટ થાય છે. તે સુખો પામવા માટેનો પુરુષાર્થ નબળો પડે છે ને તેથી તેમાંથી ઉભી થતી તૃષ્ણામાંથી, માનસિક અસમાધિમાંથી અને કાર્યાની પીડામાંથી મુક્તિ મળી જાય છે ને આ મુક્તિનો આનંદ પરમ તૃપ્તિ આપે છે. સાચા સુખની અનુભૂતિ કરાવે છે. એક શિષ્ય ગુરુ પાસેથી ભણીને ઘરે જતો હતો ત્યારે તેકો ગુરુને પૂછ્યું કે સાચું સુખ‘સંવેગ' છે. ત્રીજું લિંગ ‘નિવેદ' છે. ‘નિર્વેદ' એટલે કે મોક્ષ પ્રત્યેની એટલે શું? ગુરુએ જવાબ આપ્યોઃ તું ઘરે જતાં રસ્તામાં ગામ આવે છે ત્યાં રાત્રિરોકાણ કરજે. શિષ્ય સંધ્યાકાળે તે ગામમાં પહોંચ્યો ત્યારે રાજાનો પડત વાગતો હતો કે રાત્રિના સમયે દર ત્રણ કલાકે ઢોલ વાગશે ત્યારે રાજા પાસે જેને જે જોઈએ તે માંગશે તો રાજા તેને આપશે. પેલા શિષ્યને થયું કે જેવો પહેલો ઢોલ વાગે એટલે મારું જીવનભર ચાલે એટલા અનાજ જેટલી મુદ્રા માગી લઉં. પહેલો ઢોલ વાગ્યો ત્યારે શિષ્યનું મન પલટાયું. એણે વિચાર્યું કે છેલ્લો ઢોલ વાગે એટલે રાજા પાસે જઈને રાજાનું આખું રાજ્ય જ માગી લઉં. છેલ્લો ઢોલ વાગ્યો ને શિષ્ય રાજા પાસે જઈને આખું રાજ્ય માગી લે છે. રાજા નાચવા માંડે છે. હું જેની રાહ જોતો હતો તે આવી ગયો છે. લે આ રાજ લઈ લે ને મને મુક્ત કરી શિષ્યની આંખો ખુલી ગઈ. રાજા જેનાથી મુક્તિ મેળવી સુખી થવા માંગે છે તેનાથી હું બંધાવવા તૈયાર થયો છું? ને તુરત જ ગુરુ પાસે પાછો વળી ગયો. તેને સમજાઈ ગયું સાચું સુખ મુક્તિમાં તીવ્ર આકાંક્ષા. પોતે જે સુખોનો સ્વાદ માણી રહ્યો છે એ સુખોની પરાકાષ્ઠા પામવાની તીવ્ર ઝંખના આ જીવમાં પેદા થાય છે. ત્રીજું લિંગ છે નિર્વેદ એટલે કે સંસાર પ્રત્યેની ઉદાસીનતા. સંસારનું દાવાનળ જેવું સ્વરૂપ નજરે દેખાય છે તેથી તેમાં કોઈ રસ તો નથી. આસક્તિ ઉત્તરોત્તર ઘટતી જાય છે. ચોથું લિંગ છે અનુકંપા. માત્ર સ્વજનોની અનુકંપા નહીં પરંતુ કોઈપણ દુઃખીને જોઈ તેની અંદર દયા પ્રગટે છે. પોતાનાથી શક્ય હોય તે બધું તે કરી છૂટે છે. ઘાતકી જીવો પ્રત્યે પણ તે 'સત્ત્વે જીવા કમ્મવેશ' એમ માની ભાવદયા અનુભવે છે. પાંચમું ને છેલ્લું લિંગ છે “આસ્તિક”; તત્ત્વને એના મૂળ સ્વરૂપે જ સમજવાનો આગ્રહ ને તેથી જે વીતરાગ છે, સર્વજ્ઞ છે તેને જ દેવ માને. એમના ઉપદેશ પ્રમાો જીવન વિતાવે. તેને જ ગુરુ માને અને વીતરાગે ચીંધેલા માર્ગને જ ધર્મ માને, સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યેની શુદ્ધ શ્રદ્ધા એટલે આસ્તિક્ય. છે. સમ્યક્ પ્રાપ્તિમાં આ પાંચ લિંગો સમ્યક્ત્વને વધુ ને વધુ શુદ્ધ કરે છે અને સાચા સુખોની પ્રતીતિને સમૃદ્ધ કરે છે. આવા સુખોની પ્રતીતિ થાય પછી એ આત્મા એ સુખોની પરાકાષ્ઠા પામવા પ્રયત્નશીલ બને છે. એ સુખની પરાકાષ્ઠા એટલે સિદ્ધ અવસ્થા. સિદ્ધ પરમાત્માના સુખો અનંત અવ્યાબાધ છે. એ સુખોનું પૂર્ણ વર્ણન ખુદ કેવળી ભગવંતો પણ નથી કરી શકતા. શાસ્ત્રો લખે છે કે ચારે ગતિના લોકોના ત્રણેય કાળના સુખોને કે એકત્ર કરવામાં આવે અને એને અનંતગણા કરવામાં આવે તો પણ એ સુખો સિદ્ધ ભગવાનના સુખોની સામે અંશ માત્ર હોય છે. સમ્યક્ત્વ પામ્યા પછી સ્વાધિનતાનું સાચું સુખ પ્રાપ્ત થાય છે. પૌદ્ગલિક સુખો મેળવવા બીજા પર આધાર રાખવો પડે છે. પરવશ થવું પડે છે. જ્યારે સમ્યક્ત્વ પામેલો જીવ સ્વબળે ઉત્પન્ન કરેલા સુખમાં રાચે છે. તદ્દન સ્વાધિનપણે સુખનો અનુભવ કરે છે. તે પૌલિક સુખોની અવગણના કરી સ્વબળે ઉત્પન્ન કરેલા ત્યાગના સુખનો અનુભવ કરે છે. તપના સુખનો આવાદ માણે છે. આનંદધન મહારાજાને તેમના કાંતિકારી વિચારોને લીધે ૧૯ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. પરંતુ એ સુર્ખાનું સ્વરૂપ જીવે સમજી લીધું છે તેથી એ સુખો મળે તો પણ પોતે નિર્લેપ બની જાય છે. ભોગવવા પડે તો પણ અનાસક્ત બનીને ભોગવે છે. સમ્યક્ત્વ પામ્યા પછી પ્રાપ્ત થતાં આ સુખો પરમ સંતોષ-તૃપ્તિ આપે છે. આ સુખો ચિરંજીવ છે અને નિત્ય પરમાનંદની વૃદ્ધિ કરનારા છે. સમ્યક્ત્વીમાં પાંચ લિંગો પ્રગટ થાય છે જે તેને સત્યની વધુ ને વધુ નજીક લઈ જાય છે. પહેલું લિંગ છે પ્રથમ. ‘પ્ર' એટલે ઉત્કૃષ્ટ રીતેનું અને ‘શમ' શમન, કાર્યોમાંથી મુક્તિ મળતા દિનપ્રતિદિન તેનામાં ઉપશાંતપણાની વૃદ્ધિ થાય છે. બીજું લિંગ કોઈ વહોરાવતું નથી ત્યારે જરાપણ વિચલીત થયા વગર આ મહાપુરુષ સ્વબળે ઉત્પન્ન કરેલ સમતાના સુખનો આનંદ માણે છે ને પદ બનાવે છે. 'આશા ઓરન કી ક્યા કી-જ્ઞાન સુધારસ છે પીજે.' સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી નિર્લેપતાનું સુખ પ્રાપ્ત થાય છે. એક વિચિત્ર વાત એવી બને છે કે જેમ જેમ જીવ ઉંચા ગુાઠાકો ચડતો જાય છે તેમ તેમ અશુભ કર્મની પ્રકૃતિઓ બંધાવવાની બંધ થાય છે. શુભ પ્રકૃતિઓ જ બંધાય છે. આવી સમ્યકત્વ ગુણઠાણે પહોંચતા એવું પણ ક્યારેક બને છે કે પોલિક સુખો સામે ચાલીને ઢગલાબંધની સંખ્યામાં પ્રવેશ કરે છે. જીવને અનેક આવું સમ્યક્ત્વ પામી સાચા સુખોની પ્રતીતિ પ્રાપ્ત કરવા માટેના પુરુષાર્થ માટે મનુષ્યજન્મ શ્રેષ્ઠ તક છે. સાંચન અને સદ્ગુરુનો યોગ મેળવી આવો પુરુષાર્થ કરી શકાય છે. સૌને શુદ્ધ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, સાચા સુખોની પ્રતીતિ થાય એવી ભાવના વાતાવરણમાં મૂકીને વીરમું છું. * પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલું વક્તવ્ય, તા. ૧૩-૮-૦૭ ૯૪, લાવણ્ય સોસાયટી, નવા વિકાસ ગૃહ રોડ, વાસણા, અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28