Book Title: Patanjalina Yoga sutro Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar View full book textPage 8
________________ [૬] હોવાનાં ચિન્હો દેખાઈ રહ્યાં છે. જીવવાની કળાના નવા નામે, જુદાં જુદાં રૂપોમાં યોગ સાર્વભૌમ સ્વીકૃતિ પામી રહ્યો છે, એ આવનાર વિશાળ સંવાદિતાનું એક અગત્યનું ચિન્હ છે. પણ કૈવલ્ય-મોક્ષ–જ યોગનું મુખ્ય લક્ષ્ય છે, એ પતંજલિમુનિની વાત વિસારે પડી રહી હોય એમ લાગે છે. મોક્ષ કોઈ નવી ઉપલબ્ધિ નથી. ચિત્તવૃત્તિઓનો નિરોધ થતાં, મનુષ્ય પોતાના સ્વરૂપમાં રહે એ મોક્ષ છે. મનુષ્ય વિશ્વપ્રકૃતિનો એક ભાગ અને એની ઉત્ક્રાન્તિનું સૌથી વધુ વિકસિત એકમ હોવાથી, એના સાચા સ્વરૂપના નિર્ણયમાં સમગ્ર પ્રકૃતિનાં બધાં પરિબળોનો શાસ્ત્રીય નિર્ણય સમાય એ સ્વાભાવિક છે. આ વિષે ભગવાન્ શ્રી રમણ મહર્ષિ (ઈ.સ. ૧૮૭૯-૧૯૫૦) કહે છે ઃ- “યોગનો હતુ મનના મૌનની પ્રાપ્તિ છે. અભ્યાસ ફક્ત મનના આ મૂળસ્વભાવરૂપ મૌનના માર્ગનાં વિઘ્નો દૂર થાય એ માટે કરવામાં આવે છે. મનુષ્યનું મન જ્યારે પ્રાકૃત કે અસંસ્કૃત અવસ્થામાં હોય, ત્યારે એણે પોતાની અંદર અને બહાર સતત પ્રવૃત્તિશીલ રહેતાં પ્રકૃતિનાં પરિબળોનાં કાર્યોની પ્રતિક્રિયા રૂપે કાંઈ ને કાંઈ વારંવાર પરવશપણે કરવું પડે છે. યોગનાં અંગોના અનુષ્ઠાનથી સંસ્કૃત બનેલું મન પ્રકૃતિનાં બાહ્ય પરિબળો અને આંતરિક પ્રબળ વલણાને પૂર્ણપણે આધીન હોતું નથી. ભૌતિક પ્રકૃતિ અને મનુષ્યપ્રકૃતિથી મુક્ત બનવું યોગનું લક્ષ્ય છે. યોગનું ઉડ્ડયન મનુષ્યપ્રકૃતિ અને વૈશ્વિક પ્રકૃતિથી પર અદ્વૈત સત્તા સુધી પહોંચવા માટે છે. મનનાં સુખદ કે દુઃખદ, સતત અને નિરર્થક સ્પંદનો એની શાન્ત એકાગ્રતામાં વિક્ષેપ કરે છે. મન સાચો દ્રષ્ટાજ્ઞાતા-નથી. એ સત્યવિષે અનુમાન કરી શકે, શાસ્ત્રીય પ્રમાણો ઉદ્ધૃત કરી શકે, કલ્પના કરી શકે, સિદ્ધાન્તો સ્થાપી શકે, પણ એનો સીધો સાક્ષાત્કાર ન કરી શકે. સત્યના સાક્ષાત્કાર માટે, જે મન સ્વાભાવિક રીતે જ દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કરે છે, એને શાન્ત-મૌન-બનાવવું અનિવાર્ય છે. મન જ્યારે પૂરેપૂરું “મૌન અને સજાગ” હોય, ત્યારે દ્રષ્ટા અને દશ્ય બંને એકીસાથે એની સમક્ષ હાજર થાય છે. ત્યારે દ્રષ્ટા હોય છે, જે જોવાનું છે, એ પણ હોય છે, અને દર્શન કોઈ પણ પ્રકારના ભ્રમ વગર થાય છે. આવું સ્પષ્ટ દર્શન યોગનું લક્ષ્ય છે, જે કેવળ દ્રષ્ટા, આત્માનો અધિકાર છે, મનનો નહીં. ‘સામાન્યપણે મન પોતાને દ્રષ્ટા તરીકે રજૂ કરે છે. પણ ખરેખર એ દૃશ્ય છે. દ્રષ્ટા અને દૃશ્યનું આ ખોટું તાદાત્મ્ય, સતત અસ્થિર અને શોકાતુર રહેતા મનને નિશ્ચલ, અવિકારી તેમજ શોકરહિત આત્મા માની લેવાની આ ભૂલ, મૂળભૂત અવિદ્યા છે, જેમાંથી બધાં દુઃખો અને પ્રશ્નો ઉત્પન્ન થાય છે. મનુષ્ય જેવાં કર્મ કરે એવો બને છે, અને એ જેવો છે એવાં કર્મ કરે છે. પ્રકૃતિ અને કર્મના ક્ષેત્રમાં માણસ એનાં કર્મ, વિચારો અને ભાવનાઓથી અલગ કાંઈ નથી. આ બધાં ભૂતકાળથી ચાલી આવતીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 512