Book Title: Paryushanparvadik Parvoni Kathao
Author(s): Amrutkushal Pandit, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 158
________________ ઝાડની નીચે સર્વ ચિંતાતુર થઈને બેઠા છે. એ પ્રસ્તાવમાં તે આંબાના ઝાડ ઉપર એક સૂડા સૂડીનું જોડું વસે છે. તેમાં સૂડી સૂડાને કહે છે કે તે સ્વામી ! આજ ઉપકાર કરવાનો અવસર છે. તે એમ કે આ કુમારની પાસે લેખ લખાવી સિંહલેશ રાજાને જઈને કહો, તો આ સર્વ મનુષ્યનું સંકટ મટે. તે સાંભળી સૂડાએ વૃદ્ધાકુમાર પાસે લેખ લખાવી પોતાને ગલે બંધાવ્યો. પછી ત્યાંથી ઉડી ને સિહલેશ રાજાને જઈ પત્ર આપ્યો. રાજાએ લેખ વાંચીને પોતાના નગર માં ઢંઢેરો ફેરાવ્યો કે જે મનુષ્ય સમુદ્ર માંહેથી મોટા આવર્તથી જહાજને કાઢે તેને હું એક લાખ સોનૈયા આપું. તે વારે એક કલ્પવત્તા મનુષ્ય પડતો છળ્યો. પછી તે કલ્પવેત્તા મનુષ્ય છે મહીના લગણ તેલમાં ભીજાવેલી એવી એક હરણીની પૂંછડી લઈને કુમારની પાસે આવ્યો, અને બોલ્યો કે હે કુમર ! તમે મહા ધીરજવંત અને સાહસિક છો, માટે આ પૂંછડીની મશાલ કરીને પર્વતની ગુફામાં પ્રવેશ કરો. આગળ જતાં એક મોટું ઉદ્યાન તમને દીઠામાં આવશે, તેમાં વાવડીએ કરી શોભાયમાન એવું સોનાનું દેરું છે. તેમાં શ્રી ઋષભદેવજીની પ્રતિમા છે. તેની તમે પૂજા કરજો. પછી તે દેરાની પૂર્વ દિશાને બારણે એક મોટો ઘંટ છે, તેને તમે વજાડશો, તો તેના અવાજથી બીજા બધા ઘંટ વાજશે. તે વારે તે પર્વતના વાસી ભાખંડ પંખીઓ જે છે, તે ઉડશે. તેના યોગથી સમુદ્રનું પાણી પણ ઉછલશે. તે વારે તમારાં જહાજ આવર્ત થકી નીકળશે. એવી વાત સાંભલી વૃદ્ધાકુમરે પણ તેમજ કર્યું, તે વારે કુમારનો સર્વ પરિવાર તથા કલ્પવેત્તા મનુષ્ય, સર્વ જહાજ નીકલ્યાં, તેમાં બેસીને સિંહલદ્વીપે આવ્યા, પણ કુમર તો તિહાંજ રહી ગયો. હવે તિહાં જહાજવાલાઓને સિંહલેશ રાજાએ પૂછ્યું કે કુમર કિહાં ગયો? તે વારે તે પુરુષોએ કહ્યું, મહારાજ! કુમર તો તિહાંજ રહી ગયો. તે સાંભળી રાજા ક્રોધાકુલ થઈ જહાજવાસી સર્વ લોકોને બંદીખાને નાખ્યા. હવે કુમાર તિહાં રહ્યો થકો નિત્ય પ્રત્યે પ્રતિમાની પૂજા કરે. એમ કરતાં કેટલા એક દિવસ વ્યતિક્રમ્યા, તે વારે એક દિવસ કુમર પૂજા કરે છે, એવામાં એક વિદ્યાધર તિહાં પૂજા કરવા આવ્યો. તે કુમારનું ૫ દેખી, કુમારને મલી ભેટી પોતાને આવાસે લઈ ગયો. કુમારને જમવા બેસાડ્યો. ભોજન કરતાં વિદ્યાધરની સ્ત્રીએ તેને પ્રસન્નપણે કહ્યું કે હે કુમાર ! તમને મારો ભરતાર મારી પુત્રી પરણાવશે, તે માટે એના ઘરમાં દેવઅધિષ્ઠિત એક ખાટલો છે, તે હાથ મેલાવા શ્રી ઉમાસીપર્વ ૧૪૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210