Book Title: Paryushanparvadik Parvoni Kathao
Author(s): Amrutkushal Pandit, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 172
________________ ભગવાન પણ બાર પર્ષદાની આગલ એવી દેશના દેતા હતા કે, ભો ભવ્યા! ભો ઈતિ આમંત્રણે એટલે હે ભવ્ય જીવો ! જેનો પાર નથી એવી સંસારરુપ અટવીને વિષે મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, તે તમે પામ્યા છો. તો તમે ધર્મને વિષે ઉધમ કરો. જે માટે જે ભવની કોડીએ પણ ન પામીએ એવી જે મનુષ્યજન્માદિક સામગ્રી તેને પામી કરીને સંસારરુપ સમુદ્રમાં વહાણ સમાન જે ધર્મ, તેને વિષે સર્વદા યત કરવા થકી સુખ પામીએ. જેને ધર્મ કરવામાં વ્યાકુલ મન હોય તેથી જે નિરંતર ધર્મ ન થાય, તોપણ તેને હૃઢ મન કરીને ધર્મનાં કાર્ય આંતરે કરવાં. જેમ ગાયને ગલે ડેહરો બાંધ્યો હોય, તોપણ ભમતી ભમતી ખડના કવલને આહારતી ફરે તો પણ ભૂખ ભાંગે. તેમ ગૃહસ્થને દિવસના ચાર પ્રહર ધર્મ વિના ઘરના ધંધામાં જાય છે, માટે તેમાં એક પ્રહર અથવા અદ્ધ પ્રહર સુધી પણ ધર્મનો સંગ્રહ કરવો. એવી રીતે જો સર્વ દિવસોને વિષે ધર્મ સંબંધી ક્રિયા પાલવામાં પ્રવૃત્ત થાઓ, તો એ મનુષ્યજન્મ પામ્યાનું ફૂલ કહેવાય, અને જે સર્વ દિવસોમાં ન કરી શકો તો પર્વ દિવસે વિધિએ કરી પૌષધાદિ વ્રત કરવાં, બહાચર્ય પાલવું, વિશેષે કરી આરંભ તો કરવો જ નહીં, અને કરાવવો પણ નહીં. તેમ વલી આસો તથા ચૈત્ર માસની અઠ્ઠાઈના દિવસોને વિષે અને પજોસણનાં પર્વોમાં તો વિશેષે કરી ધમરાધના કરવું. એવો ઉપદેશ ભગવાને કહ્યો, તે વારે અવસર પામી શ્રેણિક રાજા કહેતા હતા કે હે ભગવન્! પ્રથમ શ્રીપર્યુષણ પર્વને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવા થકી શું ફલ મલે? તે મુજને કહો, તે વારે ભગવાન્ બોલ્યા કે હે મગધેશ! સાંભલ. શ્રીપર્યુષણ પર્વ આવે થકે (૧) ચતુર્વિધ શ્રીસંઘ મલીને શ્રીવીતરાગનાં દેરાં જૂહારે, (૨) સાધુની ભક્તિ કરે (૩) કલ્પસૂત્ર સાંભલે, (૪) શ્રીવીતરાગની પૂજા કરે, અર્ચા આંગીરચના નિત્ય કરે, (૫) ચર્તુવિધ સંઘમાં પ્રભાવના કરે, (૬) સાધર્મીવાત્સલ્ય કરે, (૭) જીવોને અભયદાન આપવા માટે અમારિપડહ વજડાવે, (૮) અટ્ટમ તપ કરે, (૯) જ્ઞાનની પૂજા કરે, (૧૦) માંહોમાંહે શ્રીસંઘને ખમાવે, (૧૧) સંવત્સરી પડિક્રમણ કરે, એ અગીયાર કૃત્ય કરે. * એ કરણી કરવાનાં અગીયાર દ્વાર કહ્યાં, તે આગલ વિવરીને કહેશે. વલી ભગવાનું કહે છે કે પજોસણ આવે થકે સામાયિક, પડિક્કમણું, પોસહ વ્રત કરવા, શ્રીવીતરાગની સ્નાત્રપૂજા, ચૂઆ, ચંદન, વિલેપન, કરવાં, બ્રહ્મચર્ય પાલવું, દાન શ્રી પર્યુષણા ૧૫૭ Jain "Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210