Book Title: Parshwa Padmavati Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Sanjaybhai Pipewala
View full book text
________________
૨૧
(૮) ફળપૂજા :
(ફળ ધરાવવાનો થાળ તથા ૧૦૮ બદામ તૈયાર રાખવા.) विद्युज्ज्वला - प्रदीप्ते प्रवरमणिमयीमक्षमालां कराब्जे, रम्ये वृत्तां धरन्ती सततमनुदिनं सांकुशे पाशहस्ते । नागेन्द्रैरिन्द्रचन्द्रैर्दिविपमनुजनैः संस्तुते देव-देवि ! पद्मेऽर्चे त्वां फलौघैर्दिशतु मम सदा निर्मलां शर्मसिद्धिम् ॥८॥
(વિદ્યુતની જ્વાલાઓની જેવા તેજસ્વી એવા પોતાના સુંદર કરકમલમાં સર્વોત્તમ મણિઓથી નિર્મિત ગોળ આકારવાળી અક્ષમાળાને નિરંતર ધારણ કરનારી, હાથમાં અંકુશ અને પાશને ધારણ કરનારી, નાગેન્દ્ર, ઈન્દ્ર, ચન્દ્ર, દેવ અને મનુષ્યો વડે સ્તુતિ કરાયેલી હે દેવદેવી પદ્માવતી ! હું ફળોના સમૂહ વડે તારી પૂજા કરું છું. મને સદા નિર્મલ કલ્યાણથી સિદ્ધિ આપો.)
નીચેનો મંત્ર બોલતા ૧૦૮ આખી બદામ અર્પણ કરવી :
'ॐ हीँ श्रीपद्मावत्यै फलं समर्पयामि स्वाहा ।'
તે પછી બીજોરું, શ્રીફળ આદિ નવ પ્રકારના ફળોનો થાળ સન્મુખ
ધરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34