________________ શિપચાશક ગ્રંથ-ટીકાકારો પ.પૂ.આ. યશોભદ્રસૂરિજી મહારાજા-પરિચય શ્રી પંચાશક પ્રકરણ ટીકાના કર્તા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોભદ્રસૂરિજી મહારાજા છે. આ ગ્રંથની તાડપત્રીય પ્રતિ નં. ૨૧૧ની ઝેરોક્ષ પ્રત શ્રી જેસલમેર જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલ છે. જેની પ્રશસ્તિ આ પ્રમાણે છે. “ઋતિરિયું श्रीश्वेताम्बराचार्य यशोभद्रस्येति संवत 1121 ज्येष्ठ सुदि-११ बुधदिने ॥छ॥ श्री રસ્ત | ગોથા નિરિવૃતમ્ | શ્રી પંચાશક ગ્રન્થની ટીકા પ. પૂ. આ. યશોભદ્રસૂરિશ્વેતામ્બરાચાર્યની છે. કૃતિલેખન વિ. સં. 1121 જેઠ સુદ-૧૧ બુધવાર, આ પ્રતિ યશોધરે લખી છે. આ ગ્રંથની અન્ય કોઈ પ્રતિ અન્ય જ્ઞાનભખ્તારોમાંથી પ્રાપ્ત થઈ નથી. આ ગ્રંથના ટીકાકાર આ. યશોભદ્રસૂરિજી કયા ગચ્છના છે? તથા તેઓએ અન્ય કયા કયા ગ્રન્થોની રચના કરી છે? તેને તપાસવા વિક્રમની બારમી સદી સુધીમાં અનેક ગચ્છમાં થયેલ પ. પૂ. આ. યશોભદ્રસૂરિજીની નોંધ અત્રે રજૂ કરાય છે. 1. આ. યશોભદ્રસૂરિજી મ.સા. સંડેરગચ્છ :- જન્મ વિ. સં. 957 આચાર્ય વિ. સં. 958 84 વાદ જીત્યા. 1029 અથવા 1039 માં નાડલાઈમાં સ્વર્ગવાસ. 0 વિ. સં. 996 થી ૧૦૧૦માં નાડલાઈ તીર્થ મંદિર સ્થાપ્યું. 0 વિ. સં. ૧૦૩૯માં કરેડા તીર્થ પર જિનાલયની એક દેરીમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી. 0 રાજા કુમારપાળ પૂર્વભવમાં જયતાક નામે કર્મચારી હતો. આચાર્યશ્રીના ધર્મોપદેશથી પ્રતિબોધ પામ્યો. મરણ પામીને કુમારપાલ રાજા બન્યો. 0 વિ. સં. ૯૬૯માં સાંડેરાવની પ્રતિષ્ઠા. 0 વિ. સં. ૧૦૧૦માં 84 વાદ જીત્યા. 0 કરહેડા તીર્થમાં સંડેરગચ્છના આ. યશોભદ્રસૂરિના સંતાનીય આ. શ્યામાચાર્યનો સં. ૧૦૩૯નો શિલાલેખ છે. 17