Book Title: Narsimha Mahetana Pado
Author(s): Ratilal V Dave
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 113
________________ નરસિંહ મહેતા કૃત આપ અગનાનની ઓટમાં આવીને, આપ આપ શું આપે લે; નરસઈ પણ લેઈને ઊર્મિઓ અનુભવે, તાહરા ખેલમાં તું જ છે. તે તું.૪ ૧૬૮ દેહડલી મૂકીને રે, એક દંન જાવું છે, તે માટે કહું છું, કરી લે હરિનું, ભજન રે, જીવ તાહારે જાવું છે. ૧ ખાઓ પીઓ ને ધન વાવરો રે, જેહવું જેહેને હાથ રાવણ સરખે રાજી રે, તે તે કાંએ ન લેઈ ગએ સાથ રે, જીવ તાહારે... ૨ મગરે કેરીને પિસીએ રે, તે હે નાં , મૂકે મહેત; ચેતનહારા ચેતજે રે, ગોફણ જાશે તે ગેલા સાથ રે. જીવ તાહારે... ૩ લખમીને બાંધે પિટલે રે, સ્વરગ ના પિતે ઠેઠક સજન કેરી ગોઠડી રે, ટકે છે ધાબા હેઠ રે. જીવ તાહારે. ૪ કેહના છેરુ ને કેહેના વાછરુ રે, કેહોનાં માએ ને બાપ; અંતકાલે જાવુ જીવને એકલા રે, સાથે આવશે પુન ને પાપ છે. જીવ તાહારે.... " વૈષ્ણવને વિમાન આવશે રે, સકુટને (૩) જમદુત; શૂરાને વરશે અપછરા રે, પેલા દુરીજન સરજે છે ભૂત રે. જીવ તાહારે.... ૬ હવે પાણીને પરપોટડે રે, એહવું કાયાનું મૂલ; ભણે નરસીઓ વીનતી રે, જેહવું બોડે તે માથે ફૂલ રે. જીવ તાહારે... ૭ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132