Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch
View full book text
________________
મહાવીર મોક્ષે સીધાવી ગયા.....!
[ ૩૬૫] આજે ભારતવર્ષને અધ્યાત્મભાનુ અસ્ત થયે ! અને ચતુર્વિધ સંઘ પ્રભુવિયેગની વેદનાથી વ્યસ્ત બની ગયે! ચારે બાજુ નિસ્તેજના છવાઈ ગઈ અને નજરે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ કુંથવા વગેરે બેઈન્દ્રિ જી ઉત્પન્ન થયા. હવેથી સંયમપાલન દુરારાધ્ય થશે એમ માનીને ઘણું સાધુ સાધ્વીજીઓએ અનશન વ્રત આદર્યા. પ્રભુના નિર્વાણ સમયે નારકીના જીવોને ક્ષણવાર અજવાળું મળ્યું; પણ અસંખ્ય દેવદેવીઓ, ઈન્દ્રો અને ચતુર્વિધ સંઘની આંખમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા ! આંખમાં અશ્રુ સાથે અઢાર ગણરાજાઓએ ભાવદીપક અસ્ત થતાં હસ્તિપાલરાજાની જીર્ણશાલામાં દ્રવ્યદીપકેની હારમાળા પ્રગટાવી. ત્યાંથી લોકમાં દીપેત્સવી પર્વના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. એ અદ્યાપિપર્યત ચાલુ છે.
શેકમગ્ન શકે ચિત્તમાં ધર્મ ધારણ કરી દેવતાઓ પાસે નંદનવનમાંથી ગોશીષચંદનના કાષ્ઠ મંગાવ્યા. ક્ષીરસાગરના જલથી પ્રભુના દેહને નવરાવી ઈન્દ્ર પિતાના હાથે જ અંગરાગ વગેરેથી શેભાવ્યા. ઉપ૨ કીંમતિ વસ્ત્ર ઓઢાડ્યું. દેવતાઓ પાસે દેવવિમાન જેવી શિબિકા તૈયાર કરાવી બહુમાનપૂર્વક પિતાના હાથે પ્રભુના દેહને એ શિબિકામાં પધરાવ્યે ! આંખમાં અશ્રુ અને હૃદયના લપાત સાથે ઈન્દ્રો શિબિકા ઉપાડી ચાલવા લાગ્યા ! અસંખ્ય દેવે
જય જય નંદા જય જય ભદા” શબ્દોથી ગગન ગજાવતા શોકજનક વાજીંત્ર વગાડતાં અને શેકથી જાણે હૃદયતાડન ન કરતાં હોય તેમ શિબિકાની આગળ ચાલવા લાગ્યા ! સુગંધીજલ અને પુષ્પવૃષ્ટિ કરી ભૂમિતલને આદ્ર બનાવી પ્રભુના ગુણોથી ગુમિફત ગુણમાલાના ગીતો ગાતી દેવીઓ શેકથી શિબિકાની પાછળ ચાલવા લાગી !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470