________________
મૂલ્યાંકન કરી શકીએ. આ સિદ્ધાન્તનો કેન્દ્રીય નિષ્કર્ષ આ હશે – જ્યાં વ્રત છે, સંયમ અને સીમાકરણ છે, ત્યાં અર્થશાસ્ત્રના કેન્દ્રમાં મનુષ્ય રહે છે, અર્થ બીજા નંબરે આવે છે. જ્યાં એવું નથી, વ્રત, સંયમ અને નૈતિકતાનો વિચાર નથી, ત્યાં પદાર્થ અને અર્થ કેન્દ્રમાં રહે છે, અને મનુષ્ય પડદા પાછળ રહે છે. આ સંદર્ભમાં વર્તમાનની સમસ્યાને, આર્થિક અપરાધોને સમજવાની ઘણી બધી સુવિધા રહેશે. આપણે એ સરળતાથી સમજી શકીએ છીએ કે– આજે શા માટે આર્થિક ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે? શા માટે આર્થિક અપરાધો વધી રહ્યા છે? શા માટે સત્તાની ખુરશી પર બેઠેલો માણસ આર્થિક અપરાધોમાં અટવાઈને રાજીનામું આપવા માટે વિવશ થઈ જાય છે ? જેલમાં જવા માટે પણ મજબૂર થઈ જાય છે? જ્યાં સુધી માણસ પરિધિમાં રહેશે, અર્થ કેન્દ્રમાં રહેશે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને રોકી શકાશે નહીં.
–
–
SS
મહાવીરનું અર્થશાસ્ત્ર : ૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org