Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 297
________________ ૨૮૦ મગજ અને જ્ઞાનતંતુના રોગો T સગાસંબંધીએ દર્દીની પાસે બેસી દર્દી બાટલાની નળીવાળો હાથ કે પગ વધુ પડતો હલાવે નહિ તેનું ધ્યાન રાખવું. T બાટલામાંથી પ્રવાહી દવા દર મિનિટે અમુક ટીપાં ટપકે તેવી વ્યવસ્થા કરેલી હોય છે. તેમાં જો ખામી જણાય તો તરત સિસ્ટરને બોલાવવાં. પ્રવાહી બંધ કે લીક થઈ જાય, પ્રવાહી ટપકવાની ગતિ વધી જાય કે ઘટી જાય અથવા જ્યાં બાટલો ચડાવ્યો હોય ત્યાં સોજો આવે કે ચામડી લાલ થાય અથવા દર્દીને ટાઢ ચડે કે તાવ આવે તો પણ સિસ્ટરનું ધ્યાન દોરવું. (૩) નાક દ્વારા પ્રવાહી ખોરાક આપવાની ટ્યૂબ - (Ryle'sTube) (૧) દર્દીને ટ્યૂબ દ્વારા નાક વાટે ફીડિંગ (પ્રવાહી ખોરાક) આપવાનું કાર્ય સિસ્ટર(નર્સ) કરતાં હોય છે. ક્યારેક દર્દીનાં સગાંએ તે કામ સંભાળવાનું આવે તો આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ. (૨) ડૉક્ટરની સૂચના બાદ ફીડિંગ (પ્રવાહી ખોરાક) શરૂ કરવાનું હોય છે. (૩) આ ફીડિંગ માટે ચા, દૂધ, કૉફી, લીંબુપાણી, નાળિયેરપાણી, ઇલેક્ટ્રાલ પાઉડરનું પાણી, મિક્સર વડે એકરસ કરેલ ભાત, ખીચડી, પ્રોટિન પાઉડર કે શક્તિ-કેલરી માટે તૈયાર પેકેટ જેવાં કે રેક્યૂપેક્સ, એસ્યોર કે ગાળીને તૈયાર કરેલું દાળનું પાણી, વેજિટેબલ સૂપ કે ફૂટ જ્યુસ – ફૂટ શેઈક વગેરે પ્રવાહી, તબીબની સલાહ મુજબ નિયત માત્રામાં નિયેત સમયે આપવાં જોઈએ. આ પ્રવાહી જેટલા પ્રમાણમાં આપવા જણાવ્યું હોય તેટલું જ અને દર બે કે ત્રણ કલાકે આપવું જોઈએ અને તેની નોંધ રાખી તે નોંધ ડૉક્ટરને બતાવવી. (૪) દર્દીને મોઢેથી કે ટ્યૂબથી પ્રવાહી અપાતું હોય તે સમયે અંતરાલ આવે કે શ્વાસ ચઢી જાય તો પ્રવાહી આપવાનું તરત બંધ કરવું અને ડૉક્ટરને તરત જાણ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314