Book Title: Luptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Author(s): Bansidhar Bhatt
Publisher: Bansidhar Bhatt

View full book text
Previous | Next

Page 28
________________ - (૨) હાસ્ય-પરિત્યાગ, બોલવામાં સાવધાની, તથા ક્રોધ, લોભ અને ભયનો ત્યાગ કરવાથી, અસત્યથી થતાં પાપકર્મોથી બચી શકાય છે. આમાંથી ભાષાસમિતિનો વિકાસ થયો. (દા.ત. દશવૈકાલિક ૭ “વાક્યશુદ્ધિ” અધ્યયન). (૩) અવગ્રહ-(વસતિસ્થાન, પાત્ર-ભાજન જેવી સામગ્રી, પિંડ-ગ્રહણ) વિષે સ્વયં વિચાર કરે, દાન (પિંડ-દાન,ઈ.) આપનારનાં વચન છે. વિષે પણ વિચારે, અવગ્રહ માટેની સ્પષ્ટ સીમા કે મર્યાદા રાખે. ગુરુની અનુજ્ઞા લઈને ભોજન-પાન કરે, પોતાના સાથીઓ માટેનો અવગ્રહ યોગ્ય સ્થાને રાખે, આમ કરવાથી ચોરીથી થતા દોષોથી - પાપ કર્મોથી બચી શકાય છે. (૪) તેલ-ઘીવાળા પદાર્થો ન ખાવા, શરીર શણગારવું નહીં, સ્ત્રીદર્શન ન કરવું, સ્ત્રીપ્રધાન સ્થાનોમાં જવું નહીં, સ્ત્રીવિષયક કે હલકા પ્રકારની કથા-વાર્તા ન કરવી. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ થઈ શકે છે. આનો વિસ્તાર સૂત્રકૃતાંગ 1 (અધ્યયન ૪ સ્થિuિT), દશવૈકાલિક (૮.૫૨-૫૮) ઉત્તરાધ્યયન (૧૬ બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન”) જેવાં આગમોમાં મળે છે. (૫) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ જેવા પાંચ વિષયોમાં આસક્તિ ન રાખતાં પરિગ્રહથી થતાં પાપકર્મોથી પોતાને બચાવી શકાય છે. આનો વિસ્તાર પણ દશવૈકાલિક (૮.૧૯-૨૭, ૧૧-ગાથા ૧-૧૦). ઉત્તરાધ્યયન (૩૨ “પ્રમાદસ્થાન”) જેવાં આગમોમાં દૃષ્ટિગોચર થાય છે. જૈન વિચારધારામાં પાપકર્મનું જ્ઞાન કેંદ્રમાં રહ્યું છે તેથી અહિંસાની વિશિષ્ટ ચર્ચા-વિચારણા ભિક્ષુઓની જીવનચર્યાના નીતિ-નિયમોના ઝીણવટભર્યા ચિંતનમાં વિસ્તારથી દષ્ટિગોચર થાય છે. આના પરિણામે જૈન તત્ત્વદર્શન કે આત્મતત્ત્વનું ચિંતન કંઈક સ્થગિત થઈ ગયું, ઉપેક્ષિત રહ્યું. આ મુદ્દાનું વિવેચન આગળ કરવામાં આવ્યું છે. હુ ૩ અન્ય પ્રાચીન આગમો અને બ્રહ્મચર્ય વિચારધારા : આચારાંગ પછી વિકસેલા જૈન આગમોમાં (અંગ ગ્રંથોમાં) સૂત્રકૃતાંગ, (અને મૂલસૂત્રોમાં) દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન મુખ્ય છે. આ ત્રણ આગમો સમગ્ર દૃષ્ટિએ અને ઈતર જૈન આગમોની અપેક્ષાએ પ્રાચીન છે. તેમાં સૂત્રકૃતાંગનો પહેલો શ્રુતસ્કંધ (સૂત્રકૃતાંગ , અધ્યયનો ૧-૧૬) તેના બીજા શ્રુતસ્કંધની (=સૂત્રકૃતાંગ II, અધ્યયનો ૧-૭) અપેક્ષાએ પ્રાચીન છે. તે પદ્યમય છે. તેની કેટલીક ગાથાઓ પ્રાચીન છંદમાં રચાયેલી છે. જૈન પરંપરામાં આવી ગાથાઓનો પણ તેમાં બીજી ગાથાઓ પ્રક્ષિપ્ત થતાં વિસ્તાર વધતો ગયો. આ રીતે દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયનની ગાથાઓ વૃદ્ધિ પામતી ગઈ. આ ત્રણે આગમોમાં મળી આવતી આચાર-બ્રહ્મચર્યની વિચારધારાની પૃષ્ઠભૂમિકામાં ઔપનિષદ ચિંતનની અસર અહીં સંક્ષેપમાં દર્શાવવામાં આવી છે. આચાર-બ્રહ્મચર્ય વિભાગ માં વપરાતો પ્રાણ શબ્દ જીવના અર્થમાં સૂત્રકૃતાગ 1 (૧.૪.૮, ૬.૪, ૮.૧૯), અને દશવૈકાલિકમાં (૪.૧.૯) પણ કંઈક પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ જેવા “શબ્દાડંબર” (cliche) વગર વપરાયો છે. છ-જીવ-નિકાયોની કલ્પના આ આગમોમાં પ્રતિષ્ઠા પામી ચૂકી છે (દા.ત. સૂત્રકૃતાંગ I ૯.૮.૯, ઉત્તરાધ્યયન ૧૨.૪૧, દશવૈકાલિક માટે જુઓ આગળ). ઓઘ (પ્રવાહ, સંસાર) શબ્દ પણ સૂત્રકૃતાંગ 1 (૩.૪.૧૪, ૧૧.૧), દશવૈકાલિક (૯.૨.૨૩), ઉત્તરાધ્યયનમાં (પ.૧, ૨૩.૭૦, ૩૨.૩૩, ઈ.) દૃષ્ટિગોચર થાય છે. ક્ષેત્રજ્ઞ (યત્ર) શબ્દ સુત્રતાંગ 1 માં ફક્ત બે વાર (૬૩, ૧૫.૧૩) આવે છે, અને તે લુપ્ત થતો જતો હોય એમ લાગે છે. સંગ-અસંગ (અસક્તિ) અને લેપ-નિર્લેપ જેવી અન્ય બ્રાહ્મણ વિચારધારાની પરિભાષા આચાર-બહાચર્યની (૨.૧.૭૪ = ૨.૫.૮૯, ૨.૬.૧૦૩, ૩.૧.૧૦૭, ૫.૨.૧૫૩, ઈ.) જેમ સૂત્રકૃતાંગ I માં (૧.૨.૨૮, ૭.૨૭ = ૧૨.૨૨, ૧૦.૧૦, ઈ.) અને ઉત્તરાધ્યયનમાં (૮.૪, ૧૪.૬, ૨૦.૬, ૨૫.૨૦, ૨૬, ઈ.) વિશેષ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ, આચાર I માં (૧૧.૬૮૭ = ૧૫.૭૯૦). તેમ જ સૂત્રકૃતાંગ II (અધ્યયન ૬) અને દશવૈકાલિકમાં (ફક્ત બે વાર - ૧૦.૧૬, ૧૧.૧) આવા પ્રકારની પરિભાષાનો પ્રયોગ લુપ્તપ્રાય થતો ગયો છે. (૧) સૂત્રકૃતાંગ I અહિંસા-સમય (૧.૪.૧૦ = ૧૧.૧૦) શબ્દથી આચાર-બ્રહ્મચર્ય અથવા શસ્ત્રપરિજ્ઞાનું - સૂચન કરે છે (જુઓ હું ૧.૪, સરખાવો સૂત્રકૃતાંગ I.૧૧ માં માર્ગ-સાર તરીકે આચાર-બ્રહ્મચર્યનો સાર !). આ સંદર્ભમાં સમય = સમતા, એવો બોલેએ કરેલો અર્થ યોગ્ય નથી (જુઓ બોલે 1 પૃ.૧૨૭). કર્મની ઉપાધિ જેવી ૨૮ ] [ સામીપ્ય : એપ્રિલ, '૫-જૂન, ૧૯૯૫

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49