Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સત્તાસ્વામિત્વ
૧૨૧ માત્ર મનુષ્પાયુષ્યની જ સત્તા સંભવે છે. કમ્મપડિ આદિના મતે ઉપશમશ્રેણીમાં અનંતાનુબંધીની નિયમા વિસંયોજના જ હોય છે તેથી તે ચારની સત્તા સંભવતી નથી. ઇત્યાદિ સમજી લેવું. (૫૪) ક્ષાયિક સમ્યકત્વ- દર્શનસપ્તક વિના અનેકજીવ આશ્રયી ઓધે ૧૪૧ની સત્તા હોય છે. ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી અનેક જીવ આશ્રયી ૧૪૧, વિજાતીય બધ્ધાયુ એકજીવ આશ્રયી ૧૩૯, અબધ્ધાયુ અથવા સજાતીય બધ્ધાયુ આશ્રયી ૧૩૮ની સત્તા જાણવી. આહારક ન બાંધ્યું હોય તો અનુક્રમે ૧૩૩-૧૩૫-૧૩૪ની સત્તા જાણવી. આહારક બાંધ્યું હોય પરંતુ જિનનામ ન બાંધ્યું તો અનુક્રમે ૧૪૦, ૧૩૮, ૧૩૭ની સત્તા અને આહારક તથા જિનનામ બને ન બાંધ્યું હોય તો ૧૩૬, ૧૩૪, અને ૧૩૩ની સત્તા હોય છે. આ સત્તા ચોથાથી સાતમા ગુણસ્થાનક સુધી સરખી જાણવી.
આઠમા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણીમાં બદ્ધાયુ ક્ષાયિકને જિનનામ અને આહારકના બંધ અને અબંધના આધારે ૧૩૯, ૧૩૮, ૧૩૫, ૧૩૪ અને અબદ્ધાયુને ૧૩૮, ૧૩૭, ૧૩૪, ૧૩૩ની સત્તા હોય છે. પરંતુ ક્ષપક શ્રેણીમાં નિયમા અબદ્ધાયુ જ હોવાથી ૧૩૮, ૧૩૭, ૧૩૪, ૧૩૩ની સત્તા હોય છે.
નવમા ગુણઠાણે પણ ઉપશમશ્રેણીમાં આઠમાની જેમ જ સત્તા હોય છે પરંતુ ક્ષપક શ્રેણીમાં પ્રારંભમાં જિનનામ અને આહારકના બંધ અને અબંધના આધારે ૧૩૮-૧૩૩-૧૩૪-૧૩૩ની સત્તા જુદા જુદા જીવોને હોય છે. તેમાંથી ૧૩ નામકર્મ અને ૩ થિણદ્વિત્રિકનો ક્ષય થવાથી ૧૨૨, ૧૨.૧, ૧૧૮, ૧૧૭, આઠકષાયનો ક્ષય થવાથી ૧૧:૪, ૧૧૩, ૧૧૦, ૧૦૯, નપુંસકવેદ ક્ષય થવાથી ૧૧૩, ૧૧૨, ૧૦૯, ૧૦૮,
સ્ત્રીવેદ ક્ષય થવાથી ૧૧૨, ૧૧૧, ૧૦૮, ૧૦૦, હાસ્યષક ક્ષય થવાથી ૧૦૬, ૧૦૫, ૧૦૨, ૧૦૧, પુરૂષવેદ ક્ષય થવાથી ૧૦૫, ૧૦૪, ૧૦૧, ૧૦૦, સંજવલન ક્રોધ ક્ષય થવાથી ૧૦૪, ૧૦૩, ૧૦૦, ૯૯, સંજવલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org