Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સેજભવે દસ અઝયણ (અધ્યયન)નું નિદણ કર્યું. એમણે એ અજઝવણે વિકાલે અર્થાત અપરાહે સ્થાપિત કર્યા એથી એનું નામ “દસકાલિય' છે (ગા. ૧૫). “આયખવાય’ પુષ્યમાંથી ધમપન્નત્તિનું, “કમ્મપૂવાય’ પુષ્યમાંથી (ગવેષણ, પ્રહણષણ અને માર્સષણ એમ) ત્રણ પ્રકારની પિષણાનું, અને “સચ્ચપ્પવાય’ પુષ્યમાંથી વાસુદ્ધિનું નિહણ કરાયું, બાકીનાં અજઝયણનું નિહણ (“પચફખાણ' નામના) નવમા અવ્વના ત્રીજા વલ્થ (વસ્તુ)માંથી થયું (ગા. ૧૬-૧૭). બીજો પણ આદેa (મંતવ્યો છે કે બાર અંગરૂપ ગણિપિડગ (ગણિ પિટક)માંથી આ (સયાલિય)નું નિદણ ખરેખર મણુગના ઉપર અનુગ્રહ કરવા માટે કરાયું છે (ગા. ૧૮). [૩] ઉત્પત્તિને અંગેની ઉપર્યુક્ત સંક્ષિપ્ત સેંધને વિસ્તાર આ આગમની ચુણિમાં મળે છે. એના રચનાર જે જિનદાસગણિ જ હોય તે શકસંવત ૧૮૮ (ઈ. સ. ૬૭૬)માં રચાયેલી અને આહારક આનંદસાગરસૂરિના મતે લખાયેલી) નંદીચુર્ણિમા એ કર્તા થાય છે. આ હિસાબે આ ચુણિણમાંની હકીકત દયાલયની ઉત્પત્તિ બાદ લગભગ એક હજાર વર્ષે અપાયેલી ગણાય. આ હકીકત પાઇયમાં કઈ મરહદોમાં રચાયેલી આ સુવિણ (પત્ર ૬-o)માં અપાયેલી છે. એને પણ અનુવાદ હું અહીં આપું છું: એક વેળા મધ્ય રાત્રિએ પ્રભવવામીને વિચાર દંભ કે, કેણું મારે ગણધર થશે? એમણે પિતાના કણ ઉપર અને સંધ ઉપર એમ બધી બાજુ ઉપર મૂકી, પણ કઈ પડ્યુચ્છેદ નહિ કરનારો જણાય નહિ, એટલે એમણે ગૃહસ્થાનો વિચાર કર્યો. ઉપગ મૂકતાં એમણે રાજગૃહમાં સેકજં ભવને યજ્ઞ કરાવતા જે. એ ઉપરથી “ રાજગૃહ' નગરે આવીને એક સંઘાટકને (બે મુનિને ) એમણે કહ્યું : તમે યgવાડ ( યજ્ઞપાટક )માં જાઓ અને ભિક્ષા માટે ધર્મલાભ આપે, જે તમને ભિક્ષા આપવાની ના પડાય તો તમે કહેજે કે અહે કષ્ટ, તત્ત્વ જાણવામાં નથી લાખની વાત છે કે આ પરમ તત્વ જાણતો નથી). એ મુનિઓ ગયા અને એમને ભિક્ષાની ના પાડવામાં આવી. તેમણે કહ્યુંઃ અહે કષ્ટ, તત્ત્વ જાણુવામાં નથી. એ વખતે બારણું આગળ ઊભેલા પેલા સજજભવે આ વાક્ય સાંભળ્યું, એ ઉપરથી એને વિચાર આવ્યો કે આ ઉપશાંત તપસ્વીઓ અસત્ય બોલે નહિ. એ અધ્યાપક (ઉપાધ્યાય) પાસે ગયો અને એણે એને પૂછયું કે તત્તવ શું છે? તેણે કહ્યું: વે. એ ઉપરથી એણે તરવાર બહાર કાઢી અને કહ્યું કે જે તમે મને તત્વ કહે નહિ તે હું તમારું મસ્તક કાપી નાંખીશ. અધ્યાપકે (ઉપાધ્યાયે) વિચાર્યું: મારે સમય પૂરો થયો છે. વેદાર્થમાં કહ્યું છે કે મસ્તા Wાવાની વાત આવે તો તત્ત્વ કહેવું. આથી હવે હું જે તત્ત્વ છે તે કહું. આમ વિચારી એ બોઃ આ યજ્ઞસ્તંભ (૧૫)ની નીચે રત્નની પ્રતિમા છે, એ અરિહંતની (અર્થાત જૈન તીર્થંકરની) કહેવાય છે. અરિહંતનો ધર્મ એ “તત્વ છે (સાર છે). એ સાંભળી સેક્સંભવ એને પગે પડયો અને યશવાટને ઉપસ્કર (સામગ્રી) એને જ આપી દીધો. પછી પેલા બે મુનિઓને શોધતા શોધતા એ આચાર્ય (પ્રભસ્વામી) પાસે પહોંચ્યો. ૫ અભ્યછેદક. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28