Book Title: Jain_Satyaprakash 1948 04_05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગદર્શક કોણ? લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ઘુરવિજયજી મહાવિદેહ ક્ષેત્રમાં મહાવ, વિજયમાં પૃથ્વી પ્રતિષ્ઠાને નામે એક નાનું પણ રમણીય ગામ હતું, તે ગામ ઉપર રાત્રુ મર્દન, રાજનું શાસન ચાલતું હતું. જયતી રાજધાનીનું શહેર હતું. ગામેતી નયસાર પૃથ્વી પ્રતિષ્ઠાનને કારભાર સંભાળતા હતા. એ નાના ગામડાની આવક બહુ વિશાળ ન હતી. મામથી બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ એવી રીતે વિશાળ વન આવ્યું હતું. વન મહાકાય વૃક્ષોથી સમૃદ્ધ હતું. નાના એવા ગામનું નામ પૃથ્વી પ્રતિષ્ઠાન એ આ વનને લઈને સાર્થક હતું. એ મહાવનમાં સાગ, સેવન, સીસમ, આખા, લીંબડા, અશોક, જાંબુ, મહુડા વગેરે વિશાળ વૃક્ષે થતાં હતાં. નયાાર ગામને કારભાર કરી જાણ એટલું જ નહિ, પણ વનવ્યવસ્થાનો પણ તેને પૂરે અનુભવ હતો. કયું ઝાડ કેટલાં વર્ષે પાકટ થાય, જુદાં જુદાં વાનાં જુદાં જુદાં કાણ શા શા ઉપગમાં આવે, કયા યા વૃક્ષને દેવું પોષણ આપ્યું હોય તે તે વધાયે સદર અને વિશેષ પજવાળું બને છે. પાદિ વનવિષયક જ્ઞાન નયસારને ઘણું જ સારું હતું. તેણે વનમાં વૃક્ષોના જુદા જુદા વિભાગ કરી રાખ્યા હતા. જુદાં જુદાં વૃક્ષ ઉપર અનુક્રમે અંક અંકિત કર્યા હતા. કયું વૃક્ષ કયારે વાવ્યું, તેનું પ્રથમ છેદન કયારે થયું, પુનઃ છેદન કયારે કરવું તેની વિગતવાર યાદી તેની પાસે હતી. આ વન ઉપર હજાર માણસોની આજીવિકા હતી. આ વનનાં કાણો દૂર દૂરના પ્રદેશમાં જતાં અને પંકાતાં. મેં માગ્યાં મૂહયે વ્યવહારીઓએ અદયી કાયને લઈ જતા. આ સર્વેમાં નયસારની પ્રામાણિકતા ખૂબ પ્રસિદ્ધિ પામી હતી. વનના નિયમ વિરુદ્ધ કઈ પણ વૃક્ષ ધનલોભને કારણે છેદાતું નહિ. વનમાં કામ કરવા આવનાર કર્મકારોને કઈ પણ રીતે દૂભવવામાં આવતાં નહિ. મજૂરોને મહેનતના પ્રમાણમાં પૂરી મજૂરી આપવામાં આવતી. કામ પણ માનવ શરીરને શકય હોય તેટલું જ હોવાનું કામ ચાલે ત્યાં સુધી નયક્ષારનો વાસ ૫ણુ મહાવનમાં રહેતો. તે છે મીઠી નજરથી મારે પરિશ્રમનું દુઃખ ભૂલી જતાં. એ મહાવનમાં એક નિયત સ્થળે તઓ અને રાવટી નખાતી, ને તેમાં સર્વે કહેતા. મજૂરોને રહેવા માટે સર્વ પ્રકારની સગવડ અપાતી. જયારે કામ ચાલતું હોય ત્યારે વનમાં એક ગામ વસ્યું હોય એ દેખાવ થઈ જતો. વનનાં વિકરાળ પ્રાણીઓથી બચવા એ કીપહેરા વગેરે સર્વ ત્યાં રહેતું. વનની જે ઊપજ થતી તે સર્વ પાઈએ પાઈના હિલ સાથે શત્રુમદન રાજાને પહેચી જતી. રાજા શત્રુમન પણ નયસારને એવું વળતર આપતે કે કેઈને પણ નીતિ કરવાનો પ્રસંગ ઊભો થતો નહિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28