Book Title: Jain Satyaprakash 1940 06 SrNo 59
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦ ] નિહ્નવવાદ પ્રતિબંધવા માટે ન આવી. પરંતુ અમે વર્ણન કર્યું એવું સ્વર્ગ તે છે જ, ને તે પુણ્ય કરવાથી પ્રાપ્ત થાય છે. પિતા નરકમાંથી ન આવ્યા તે વિષયમાં એક શેઠનું ઉદાહરણ–તારા રાજ્યમાં કેઇ એક શેઠ રહેતા હોય, તે કુટુમ્બ પરિવારથી પરિવરેલે ને સુખી હોય. કુટુંબનું પરિપાલન સારી રીતે કરતે હેય. તેથી કુટુમ્બને તેના પ્રત્યે ઘણે સારો પ્રેમ હોય. પરંતુ તે વ્યસનને પરાધીન હોય ને તે કારણે તારા રાજ્યના કાયદા વિરૂદ્ધ આચરણ કરીને રાજ્યનો મહાન ગુનેગાર થાય. રાજ્યરક્ષક પુરૂષ તે શેઠને ગુનેગાર તરીકે પકડી બાંધીને તારી પાસે લાવે તે સમયે તેના કુટુંબને તે શેઠને કહે કે, તમે તરત જ પાછો આવજે ને અમારું પાલન પોષણ કરજો કે જેથી અમને સુખ થાય. પરંતુ આજીવન જેલજાત્રાને પામેલ એ ગુનેગાર પોતાના કુટુમ્બીઓને મળવા જઈ શકતા નથી. તેમ તારા પિતા તારા પ્રત્યે ઘણુ પ્રેમવાળા હોવા છતાં પણ કર્મરાજાના મહાન ગુનેગાર થઈને નરકરૂપી બંદિખાનામાં પૂરાયા પછી તને મળવા આવી શકે નહિ તેથી આત્મા--પાપ-નરક વગેરે નથી એમ કહી શકાય નહિ. - નરકનું વર્ણન –આ પૃથ્વીની નીચે સાત નરક છે. ત્યાં રહેલા છે સ્વાભાવિક રીતે ખૂબ દુઃખી હોય છે. તેમનાં શરીરે પારા જેવાં વિલ ને અસ્તવ્યસ્ત બંધાયેલ હોય છે. તેઓનાં ચાલ આકૃતિ, રૂપ રસ, શબ્દ વગેરે સર્વ અશુભ હોય છે. નરકમાં દુર્ગન્ધ એટલી છે કે જે તે દુધને એક પણ અંશ આ મનુષ્યલોકના નગરમાં નાખવામાં આવે તે ત્યાં રહેલા સર્વ જીવો મૃત્યુ પામે. તીણુ કાંટાની શય્યા પર ખૂઈએ, તરવાર યા કરવતની ધાર પર રહીએ, તે કરતાં પણ અધિક દુઃખ ત્યાંની તીણ અને કઠિન પૃથ્વી પર રહેતાં થાય છે. ત્યાં શીત એવી હોય છે કે કઈ બળવાન લુહારપુત્ર પન્દર દિવસ સુધી અગ્નિમાં મેટા લેઢાના ગળાને સતત તપાવે ને પછી જે તે ગોળો નરકની ઠંડીમાં મૂકે તો ક્ષણ માત્રમાં તે ગળે ઠોડે થઈ જાય, એટલું જ નહિ પણ તેના સર્વ પુદ્ગલે, વિશીર્ણ થઈ જાય. ત્યાં જે ગરમીનું દુઃખ એવું સહન કરી રહ્યા છે કે જે તે જીવને આ મનુષ્ય લેકમાં જ્યાં વધારેમાં વધારે અસહ્ય ગરમી પડતી હોય ત્યાં લાવવામાં આવે તે ગ્રીષ્મના તીવ્ર તાપથી આકુળ વ્યાકુળ હાથીને, શીતલતાના આવાસરૂપ પુષ્કરણ વાવમાં સ્નાન કરતાં જે આનંદ થાય તેવો આનન્દ તે છ પામે. પ્રથમની ત્રણ નરકમાં જીવોને પરમાધામી દેવો દુઃખ આપે છે. તીવ્ર શસ્ત્રથી છેદે છે લોહી ચરબી ને હાડકા વગેરે અશુચી પદાર્થોથી ભરેલી વૈતરણી નદીમાં સ્નાન કરાવે છે, શરીરના નાના નાના કટકા કરીને તપાવેલ તેલમાં તળે છે. કરવતથી કાપે છે. વજીના માર મારી મારીને દેહનું ચૂર્ણ કરે છે, બાણું અને ભાલાથી પણ અતિ તીણુ અણીઆળા કાંટા છોલ પાનવાળા શાલ્મલીવૃક્ષ ઉપર ચડાવે છે. નાના ઘડામાં પૂરીને પછી અન્દર મ સીસું ભરે છે. લેહની પૂતળીને તપાવીને તે સાથે આલિંગન કરાવે છે. આકાશમાં કાળીને તરવાર કે ભાલા ઉપર ઝીલે છે, નાક કાને જીભ દે છે, આંખે ફેડી નાંખે છે. ગરમ કરેલ રેતીમાં ચણાની માફક શેકે છે. આવી અસહ્ય વેદના સહન કરતા જે કારમી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44