Book Title: Jain Dharm nu Utkrushta Swarup
Author(s): Yashovijay Jain Granthmala
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 54
________________ ( ૧૧ ) જે સુંદર સ્વરૂપમાં હતો તે અસલ સુંદર સ્વરૂપમાં આજે પણ વિરાજિત છે. તેનાં સંદર્યમાં કંઈ પણ ઝાંખપ નથી આવી. આજના જેનોની સહનશક્તિ જગતભરમાં અદ્વિતીય છે. જે મનુષ્યમાં સહનશક્તિ અને શિસ્તપાલનની વૃત્તિ સવિશેષ પ્રમાણમાં હોય તેઓ જ જૈનધર્મના અનુયાયી થઈ શકે છે. જેનેનું સંખ્યાબળ અલ્પ હોવાનું આ એક વિશિષ્ટ કારણ છે. જે મનુષ્ય સહનશક્તિ આદિને અભાવે, જૈનધર્મનું પાલન યથાર્થ રીતે નથી કરી શકતા તેઓ જૈનધર્મનાં ક્ષેત્રમાં નથી રહી શક્તા. પરમાણુવાદ આદિ જૈનધર્મના તાત્વિક સિદ્ધાન્તો હિન્દના પ્રાય: સર્વ તત્ત્વજ્ઞાનમાં પ્રધાનપણે ઉપલબ્ધ થાય છે. જેનધર્મના સિદ્ધાન્તની અદ્વિતીય વિશિષ્ટતા રૂપ સ્યાદવાદના સિદ્ધાન્તની સંપૂર્ણ ઉપેક્ષા ભારતીય તત્વજ્ઞાનેથી શકય જ નથી. સાંખ્યએ “પ્રધાન” નાં સ્વરૂપમાં સ્યાદ્વાદને સ્વીકાર અવશ્ય કર્યો છે. નૈયાયિકાએ “અવૃત્તિ અને વ્યાવૃત્તિ” રૂપે સ્યાદવાદના સિદ્ધાન્તને માન્ય રાખેલ છે. વળી જેને જેને જીવ અને પુદ્ગલ રૂપે માને છે તેને સાંખે “પુરૂષપ્રકૃતિ” ગણે છે. ૌદ્ધધર્મના પ્રસારવાળા હિન્દ બહારના દેશોમાં, આબેહવાની પ્રતિકૂળતાને કારણે, જનતાને માંસાહારનો આશ્રય લેવાની ફરજ પડી હતી એ મતને ઘણી વાર વિરોધ કરવામાં આવ્યું છે. બદ્ધધર્મમાં માંસાહારની પ્રરૂપણા નથી થઈ. માંસાહારના પ્રજનની સમીક્ષા કરતાં, અનેક પ્રશ્નને પ્રાસંગિક રીતે ઉપસ્થિત થાય છે. એ પ્રકાથી પણ જૈનધર્મના સિદ્ધાન્તો અને તેની દહીભૂતતા પ્રતીત થઈ શકે છે. વળી અહિંસાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80