Book Title: Jain Dharm Prakash 1909 Pustak 025 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ.. उज्झित कुमार. मनोवाकाययोगानां, चापढ्यं सुःखदं मतम् । तत्यागान्मोदयोगानां, प्राप्तिः स्याज्झितादिवत् ॥१॥ ભાવાર્થ–મન, વચન અને કાયાની ચપળતા દુખ:દાયક કહેલી છે, તેની ચપળતાને ત્યાગ કરવાથી ઉજિઝત મુનિ વગેરેની જેમ મે ગની પ્રાપ્તિ થાય છે.” નદીપુરમાં રત્નશિખર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને રત્નમતી વિ. ગેરે રાણીઓ હતી. તેમને મૃતવત્સાના દેવને લીધે જેટલાં બાળકે થતાં તે સર્વ મરી જતાં હતાં. તે દોષના નિવારણ માટે તેણે અનેક ઉપાયે કર્યો, પણ તે સર્વ નિષ્ફળ થયા. એકદા રાણીને એક પુત્રને પ્રસવ થયે, તે પુત્રને મરણ પામેલે ધારીને ઉકરડામાં નાખી દીધે. દેવવશાત તે પુત્ર મરણ પામે નહીં તેથી તેને ઉકરડામાંથી પાછા લઈ લીધે તેનું નામ ઊજિતકુમાર પાડ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામે; પરંતુ સ્વભાવેજ મનમાં અત્યંત અહંકારી થયો. શરીરવડે પણ એ અહંકારી થયે કે કેઈને મસ્તક નમાવે નહીં, તેમ વાણીથી પણ દુર્વચન બોલનારે થયો. આખા જગતને તૃણ સમાન ગણતે તે સ્તંભની જેમ અકડ રહીને પિતાના માતાપિતાને પણ નમે નહીં. એકદા તે લેખશાળામાં. ત્યાં ભણાવનાર ગુરૂને ઉંચા આસને બેઠેલા જોઇને તેણે કહ્યું કે “ અરે! અમારા અને અમારી રૈયતના આપેલા દાણાને ખાનાર થઈને ઉંચા આસન પર બેસે છે, અને મને નીચે બે સાડે છે.” એમ કહીને ગુરૂને લાત મારી નીચે પાડી દીધી. તે વાત સાંભળીને આ કુપુત્ર છે એમ જાણે રાજાએ તેને પિતાના દેશમાંથી દૂર કર્યો. , ઉઝિંતકુમાર ચાલ ચાલ એક તાપસના આશ્રમમાં ગયે, ત્યાં પગ ઉપર પગ ચડાવીને તે તાપની સામે છેડે એટલે તાપસેએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી ! વિનય રાખ,” તે બોલ્યો કે “મસ્તકપર જટાજુટ રાખનાર અને આખે શરીરે ભરમ ચાળનાર નગ્ન બાવાઓને વિષે વિનય છે ?” તેવું ગર્વિષ્ટ વચન સાંભળીને તાપસેએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો. એટલે તે ક્રોધથી બોલ્યા કે “અરે ! મારા પિતાનું હું રાજ્ય પામીશ ત્યારે તમારે નિગ્રહ કરીશ.” એમ કહીને બબડતો બબડતે તે આગળ ચાલે. માર્ગમાં તેને એક સિંહ મળે, તેને જોઈને હાથમાં તીહણ ખ લઈ અહંકારથી તેની સમુબજ ચાલે. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગર્દભ થા. ત્યાંથી મરીને ઉટ થયો, ત્યાંથી મરીને ફરીથી નંદીપુરમાંજ પુરોહિતને પુત્ર છે. બાલ્યાવસ્થામાં જ તે ચાદ ૬ ભરેલાં બાળક અને તેના દો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32