Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જે પ્રકાશ. मालिनी. સુર નરવર કેરી જ્યાં સમૃદ્ધિ વિકાશે; વિવિધ પરિષદોથી પૂર્ણ લગી પ્રકાશે; સમવસરણ શોભા તે પ્રભુની સુરીતે, અભિનવ શુભ વર્ષ શાંતિદા થાય નિલે. ૩ પાન. આજે થાતાં અવિધા થકી વિશતિ વર્ષ પૂરા, આપે પૂણાશ્રમ સુખ વજી ગ્રાહકો ધર્મ શરા; આશી, આખે હદયથી ધરી જ્ઞાનરો વિકાશ, થાને નિત્યે ભવિક જનમાં જેના પ્રકાશ, ૪ ન, દા. માંગલિક. श्री नाभेयः सवोद यादमयः परमारमाः यन्नामध्यानतः सर्व सिद्धयः स्युः स्वयंवराः । ઉપદેશ તરંગિણી. ( શ્રી નાભિરાજાના પુત્ર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી તમોને માપ વિનાની ઉત્કૃષ્ટ લખી આપે. જેમના નામના ધ્યાનમાત્રથી સર્વ સિદ્ધિઓ પોતાની મેળેજ આવીને વરે છે.) વાંચનાર બંધુઓ ! આજે આ માસિકપત્રનું એક વર્ષ પૂર્ણ થઈ નવું વર્ષ શરૂ થાય છે, એટલું જ નહીં પણ વીશ વર્ષ પૂર્ણ થઇ એકવીશમાં વર્ષની શરૂઆત થાય છે; તેથી બાહ્ય વયનો ત્યાગ થઈ યુવાવસ્થા ની શરૂઆત થાય છે. સુજ્ઞ પુરૂ દરેક કાર્ય નિર્વિને સમાપ્ત થવા માટે પ્રથમ ઈષ્ટ દેવતાને પ્રણામ કરવા રૂપ માંગલિક કરે અને વિદ્વાન મહાત્માઓ પ્રારંભ કરેલ ગ્રંથને પ્રતિબંધ કરનાર પાપને વિનાશ કરવા માટે ગ્રંથની આદિમાં ઈષ્ટ દેવતાને પ્રણામ કરવા રૂપ માંગલિક કરે એવો શિષ્ટાચાર અનાદિ કાળ * ૧ જાતનતની પદાધી. ૨ શાંતિ આપનાર. ૩ અહિં બે અર્થ થાય છે. આ જૈનધર્મ પ્રકાશ માસિક એવી આશી આપે છે કે, ભવિ પ્રાણીઓમાં શ્રી જૈન ધર્મના પ્રકાર થકને, For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 25