Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ શ્રોજેનધર્મ પ્રકાશ. તરતજ ઉલાસીત મને ઔષધી છાંટી અને તેથી વાઘ મનુષ્યના મુખમાંથી બહાર નીકળી જઈ મનુષ્યના રૂપમાં અજા કુંવર સચેતન થયો તેણે પણ અચાનક પોતાના વહાલા મિત્રને દેખી આનંદીત મને પ્રણામ કર્યા અને બંને અસ્પસ ભેટીને પિતાના આ પ્રમાણેના સંગથી હર્ષનાં અશ્રુ પાડવા લાગ્યા. તેવાર પછી બંને મિત્રોએ એક સિંહાસન પર બેસીને પિત પિતાને વ્યતીકર કહી સંભળાવ્યો. ધન્ય છે આવા મિત્રોને કે જેણે પરસ્પર સંપુર્ણ ઉપગાર કર્યો. એવા મિત્ર રત્ન કવચિતજ અને તે પણ ભાગ્યશાળીનેજ મળી આવે છે. બંનેનું ચિત્ત નિવત થયા પછી અજાપુત્રે રાજા પ્રત્યે કહ્યું કે “હે રાજન હવે આપ રાજ્ય ભૂમી તરફ પધારે, કારણ કે તમારા વિગે કરીને સર્વે પ્રજા અત્યંત દિલગીરીમાં નિમગ્ન રહ્યા કરે છે, બધાનવર્ગ શોક કર્યા કરે છે, કુટુંબીઓ ઉદાસીનતા યુકત થઈ ગયા છે, માટે હવે તેઓના દુખનું નિવારણ કરવું જોઇએ. વળી આવી રીતે એકાંત સ્ત્રી સંસર્ગ કરવો તે પણ ઘટીત નથી.” કુંવરનાં આ પ્રમાણેનાં વચનો સાંભળી રાજાનું મન તરતજ સ્વરાજ્ય તરફ જવાને ઉત્સાહી થયું. તરતજ દાસીને મોકલી સર્વાગ સુંદરીને તેડાવી અને કહ્યું કે “મને મારા મિત્રનો વિચાર હતો તે સંયોગ થયો તેથી અમે હવે અમારા રાજ્ય તરફ પ્રયાણ કરશું.' કને મહા દુખદાયક એવાં વચનોનું શ્રવણ કરવાથી તેણીએ એકદમ નિશ્વાસ મુકો અને બોલી કે “હે પ્રાણમય તમે મારું હૃદય ન બાળે, ગ પ્રત્યે જવાની વાત મને ન સંભળાવી. હે નાથ ! અવિહડ મીત્તિ કરીને આમ તો છોડી મુકો એ સારૂ ન કહેવાય. હું બીય! મને તમારી સાથે નિવડ રંગ લાગ્યો છે તે તમે મારામાં છે અવગુણ દીઠ જેથી મને છોડી દે છે. આપના સંગમને આજે છ મહીના થેયા પરંતુ તે એક દિવસ વ્યતીત થયા જેવું લાગે છે, અને હવે એક દિવસ તે મારે છ મહીના જેવો થશે. પ્રાણનાથ તમે ઘર તરફ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20