Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ વિચાર. ૧૫ રણ શક્તિવાનથી બની શકે તેવી રાતનું સંક્ષિપ્ત વર્ણન કરેલું છે પરંતુ પૂજા કરનાર જે મહર્જિક હોય તે અત્યંત વિસ્તાર થી અને બહુ મૂલ્ય ઉપગરણોથી તેમજ પૂજન વસ્તુઓના મોટા સમુહવડે પૂજા કરે. પૂજા કરવાના સાધને જેમ જેમ શ્રેષ્ટ હોય છે તેમ તેમ મા ભાવની વદ્ધિ વિશેષ થાય છે કારણ કે દ્રવ્ય તે ભાવનું કારણ છે. કહ્યું છે કે – દ્રવ્ય ભાવ રોય પજના, કારણ કાર્ય સંબંધ ભાવ તવ પુષ્ટી ભણી રચના દ્રવ્ય પ્રબંધ. અંગપૂજા અને અપૂજા કરી રહ્યા પછી ભાવપરા જે ચેત્યવંદન રતવનાદિથી થાય છે તે કરતા પહેલાં નવકાર વાળી ગણવાને રિવાજ ચાલે છે. નવકાર વાળી સુવર્ણની, રૂપાની, ફટીકની, પરવાળાની, મોતીની, ચંદનની અને સુત્ર વિગેરેની હોય છે તે સર્વમાં સુત્રની નકારવાળી એક છે. નવકારવાળીની અંદર પારા (૧૦૮) પરા જોઇએ નવકાર વાળી અંગુઠા ઉપર નખ ન અડે તેવી રીતે તેમજ પિતાનાં પહેલાં વસને પણ ન અડે તેવી રીતે રાખીને ગણવી, જેમ પૂજા કરવામાં તસલી આંગળીની પાસેની આંગળી નિર્માણ કરેલી છે તેમ નવકારવાળી ગણવામાં અંગડાની પાસેની આંગળી નિર્માણ થયેલી છે, જો કે બીજી આંગળી મનુષ્ય લોકના અને વર્ગના સુખને અપાવનારી છે. પરંતુ અંગુઠાની પાસેની આંગળીએ કરીને ત્રીકરણ શુદ્ધ નવકારવાળી ગણવાથી અથાત્ પંચ પછીનું સ્મરણ કરવાથી વાવ મોક્ષ સુ કામ થાય છે. નવકાર મળી કેટલી ગણવી તેના કાંઇ નિયમ નથી પરંતુ એક નવકારવાળી ગણી રહ્યા પછી બીજી ગણવાના પ્રારંભમાં મેરૂ ન ઓળંગતા જ્યાંથી પહેલી નવકાર વાળી ગણવી શરૂ કરી હોય ત્યાંથીજ બીક ગણવી શરૂ કરવી. ત્યાર પછી ચેયવંદન કરવાના મારંભમાં જિનપૂજા સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસીહી કહીને ત્રણ ખમાસમણ દેવા તેને પંચાંગ પ્રણિપાત કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20