Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રોજેનધર્મ પ્રકાશ. પોડાએક પ્રશ્નોના શાસ્ત્રોક્ત રીતી સાથે ઉત્તર લખી મોકલવા જે. ઇએ. જો તેમના હેડબીલમાં લખ્યા પ્રમાણે તેમણે સમકિત સોદારમાં લખેલી બાબતોના વ્યાજબીપણા વિષે ખાત્રી લાયક પ્રમાણે મેળવ્યા હશે અને તે પોતાના સત્યપણાની ખાતર લખી મે કલશે તે મેટી ખુશીની સાથે અમે અમારા માસિક પત્રમાં દાખલ કરશું. વળી આ સાથે અમે અમારા ભાવનગરવાસી સુંઢીઆઓને પુછીએ છીએ કે તમે મોટા મોટા વરાડા ચડાવો, હાથી, ઘોડાઓ અને ઘોડાગાડીઓ કાઢે છે. રાત્રી જાગરણ કરો છો, અને કરાવો છો, લહાણી આપવા વાસ્તે વાજતે ગાજતે નીકળે છે, દીવાબત્તીઓ કરી ઉપાશ્રયને વિષે મોટી મોટી સભાઓ ભરો છે, અને આરંભના કાયામાં રૂપીયા ખરચી મેડી નામના કરવા બહાર પડે છે તે તમારા માન્ય કરેલા કયા શાસ્ત્રના આધારથી કરો છો તે મહેરબાની કરી જણાવશે? સાહેબ ! તમારા મત પ્રમાણે તે આ સઘળા કાર્ય પાપબંધનને હેતુ છે તો તે તમારે બીલકુલ કરવા ન જોઈએ. તમે તમારા ચાલતા આવેલા જેનશાશનથી વિરૂદ્ધ આચરણાને મુકી દઇને હવે કેટલા એક સારા આચરણ કરવામાં હોંશ ધરાવો છો તે હવે વિરૂદ્ધપા શા વાતે ગ્રહણ કરી બેઠા છે ? બોલવું જુદું અને ચાલવું જુદે રહે એ સજજનોની રીતી નથી. આ પ્રમાણે લખી ઢીઆઓને એ વગાડવાને અમારો " - લકુલ વિચાર નથી પરંતુ ભાઇઓ ! મમત્વમાં ધર્મ નથી, મમત્વ મિથ્યાત્વનું મળે છે. જ્યાં મમત્વ હોય છે ત્યાં ધબુદ્ધિ હોતી નથી માટે મમત્વનો ત્યાગ કરી, સત્ય માર્ગને શોધી, ધર્મ બુદિ ધારણ કરી, અસત્ય માર્ગને ત્યાગ કરી મનુષ્ય જન્મ સફળ કરવા માટે શિdરાગ પ્રણીત ધર્મમાં ઉઘસવંત થાઓ અને યાવત પુન્ય બંધનના હેતુ પ્રાપ્ત કરી સુગતિ ગામી થાઓ !! For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20