Book Title: Jain Darshan
Author(s): Bechardas Doshi
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 290
________________ નથી માટે એ અનુભવ ઉપરથી આ પ્રમાણે એક ધોરણ બાંધી શકાય છે કે –વસ્તુમાત્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના ધર્મવાળી છે અને એવી છે માટે જ તે (વસ્તુ), હયાતી ધરાવવાની લાયકાત ધરાવી શકે છે. જે જે ચીજ એ ત્રણે ધર્મ વિનાની છે તે બધીમાં સસલાનાં શિંગડાંની પેઠે કદી પણ હયાતી ધરાવવાની લાયકાત હોઈ શક્તી નથી હોતી નથી અને હશે પણ નહિ. અર્થાત્ એ ત્રણે ધર્મોની હાજરી જ વસ્તુની સદપતાનું મુખ્ય લક્ષણ છે. નાયિકાએ અને દ્ધાએ વસ્તુની સપતાનું જ સ્વરૂપ બતાવ્યું છે તે રીતસર નથી અને એનું ગેરવ્યાજબીપણું બીજા ગ્રંથ ઉપરથી સમજી લેવાનું છે. પદાર્થ માત્ર, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશરૂપ હોવાથી જ હયાતી ધરાવી શકે છે અને એમ છે માટે જ પ્રત્યક્ષ અને પક્ષપ્રમાણ વડે એ જણાઈ શકે છે. વસ્તુમાત્રામાં સત્ત, યત્વ, પ્રમેયત્વ અને વિસ્તૃત્વ વિગેરે અનંત ધર્મો છે અર્થાત વસ્તુમાત્ર અનંત ધમવાળી, અનંત પર્યાયરૂપ અને અનેકાંતરૂપ છે. વસ્તુને અર્થ અહીં જીવ અને અજીવ વિગેરે સમજવાનું છે, જે વિષે આગળ ઉપર કહેવાઈ ગયું છે. જે પદાર્થ, ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા-એ ત્રણે ધર્મવાળો હોય તે જ અનંત ધર્મવાળો હોઈ શકે છે અને એ જ પદાર્થ પ્રમાણુવડે જાણી શકાય છે. પદાર્થમાત્રમાં અનંત ધર્મો રહેલા છે–એ બાબતની સાબીતી માટે આગળ ઘણું ઘણું લખાઈ ગયું છે. હવે એ માટે અહીં આ એક અનુમાન બસ છેઃ–પદાર્થ માત્રમાં ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણે ધર્મો રહેલા છે માટે જ એમાં અનંત ધર્મો રહી શકે છે. જે પદાર્થમાં અનંત ધર્મો ન હોય તેમાં એ ત્રણ ધર્મો પણ ન હોય. એવી તદન અસદ વસ્તુ તે માત્ર એક આકાશની કળી છે. પ્રત્યેક પદાર્થમાં એના ધર્મો ઉત્પન્ન થાય છે અને એ જ નાશ પણ પામે છે અને એ ધર્મોનું ધારણ કરનારો ધર્મી દ્રવ્યરૂપે હમેશાં સ્થિર રહે છે. ધર્મ અને ધર્મ એ બે વચ્ચે કેઈ અપેક્ષાએ એકપણું (અભેદભાવ) હોવાથી અને ધર્મી (ધર્મવાળા) હમેશા સ્થિર રહેતું હોવાથી એ ધર્મો પણ કોઈ અપેક્ષાએ શક્તિપે-હમેશા સ્થિ રહે છે. જે એમ ન માનવામાં આવે તો ધર્મોને તે નાશ થઈ જતું હોવાથી એ ધર્મવાળાનો પણ નાશ થઈ જવો જોઈએ માટે કોઈ અપેક્ષાએ ધર્મોને પણ સ્થિર ભાના એ વ્યાજબી છે. ધર્મ અને ધર્મવાળા વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું હેતું નથી, કારણ કે, એ બે વચ્ચે એ જાતને સંબંધ જણ નથી. વળી, જે એ બે વચ્ચે તદન જુદાઈ કે તદન એકપણું માનવામાં આવે તો એ બન્નેને ધર્મ ધર્મિભાવ જ ઘટી શકતો નથી માટે એ બન્નેનો કે “ અપેક્ષાએ ભેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304