Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 14
________________ ૧૨ વિદ્યાથીવાચનમાળા–ળ કલાયુક્ત ધુમ્મટ છે. આ ધુમ્મટ ૧૯૨ ફૂટ ઊંચો છે. આથી ઘણે દૂરથી જ આ ઘુમ્મટ દેખાવા માંડે છે. જગન્નાથદેવના યાત્રીઓ સિંહદ્વારમાં થઈને મંદિરમાં દાખલ થાય છે. ત્યાં દર્શન કર્યા પછી નાટ્યમંદિરમાં આવવું પડે છે. પછી મેહનમંદિરમાં જઈ ત્યાંથી ગડમૂર્તિની પૂજા કરવી પડે છે. ત્યાંથી આગળ વધીને મહાદીની પાસે આવી પહોંચાય છે. મહાદી ઉપર ૧૬ ફૂટ લાંબી ૪ ફૂટ ઊંચી છે. આ મહાદીના દક્ષિણભાગમાં બલરામ, તેના પછી સુભદ્રા અને તેની પાછળ જગન્નાથજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને છેવટે સુદર્શનની મૂર્તિઓ છે. આ પ્રતિમાઓની સામે સોનાની લક્ષ્મીજીની મૂર્તિઓ છે. રૂપાની વિશ્વધાત્રી સ્મૃતિ છે અને પિત્તલની શ્રી કૃષ્ણની મૂર્તિ છે. પ્રતિમાઓવાળો ઓરડે અને મોહનમંદિર, એ બેની વચ્ચે એક સ્થળે ઊભા રહી પ્રતિમાનાં દર્શન કરવાં પડે છે. મંદિરમાં અંધકાર રહે છે. અહીં ફક્ત ધીના બે જ દીવા સળગે છે. એ દીવાના ઝાંખા પ્રકાશમાં જ જગન્નાથજીનાં અસ્પષ્ટ દર્શન કરવા પડે છે. - દરરોજ સવારે આરતી થાય છે. તે વખતે પ્રતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28