Book Title: Jagannathpuri
Author(s): Madhavrav B Karnik, Jaybhikkhu
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 23
________________ જગન્નાથપુરી ઘા થઈ શક્યો નહિ. જ્યારે આ ખબર મહારાજાને પહોંચી ત્યારે મહારાજાએ આખા દેશમાંથી સેંકડો શિલ્પીઓને ભેગા કર્યા. પરંતુ એક પણ શિલ્પી એ કાષ્ઠ ઉપર પિતાનું હથિયાર ચલાવી શકો નહિ. મહારાજા એક દિવસ ચિંતાતુર વદને પ્રતિમા કેવી રીતે થશે, એને વિચાર કરતા બેઠા હતા. એટલામાં એક વૃદ્ધ શિપી લપાતો છુપાતો ધ્રુજતો ધૂત મહારાજા આગળ આવીને ઊભે રહ્યો! ને પ્રતિમાઓ ઘડવાનું કાર્ય પોતાને સેંપવા માગણી કરી. મહારાજા જીવતા હાડપિંજર જેવા વૃદ્ધની માગણી સાંભળીને ઠંડાગાર બની ગયા! છતાં એક વધુ યત્ન ખાતર મહારાજાએ તે વૃદ્ધને એ કાર્ય સોંપ્યું. - શિલ્પીએ કહ્યું : “મારે પ્રતિમાઓ તદ્દન અંધકારમાં બનાવવી પડશે, માટે ઓરડાનું બારણું બંધ રાખવાની અને એકવીસ દિવસ સુધી તે જરા પણ ન ખોલવાની મારી વિનંતિ છે.' મહારાજાએ શિલ્પીની વાત માન્ય રાખી. શિ પીને અંદર મૂકી મહારાજા બહાર આવ્યા. બારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28