Book Title: Haimnutan Laghu Prakriya
Author(s): Vijaychandrodaysuri, Chandrashekhar Jha
Publisher: Nemchand Melapchand Zaveri Jain Vadi Upashray Trust

View full book text
Previous | Next

Page 11
________________ ધન કરી ગ્રંથનું નામ તે જ રાખી પ્રકાશન કરવાથી તેના મૂળ કર્તા–મહેપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મને અન્યાય થાય તેથી તેમાં “નૂતન” શબ્દને ઉમેરો કરી તેને જ આગવું સ્વરૂપ આપી વ્યવસ્થિત સંકલન આ નૂતન પ્રક્રિયમાં કરવામાં આવ્યું છે. પં. શ્રી ચંદ્રશેખરજી ઝાને પ્રશસ્ય પ્રયાસ ગ્રંથ સંકલનનું કાર્ય કંઈ વિચારીએ એટલું સરળ -નહેતું. સિદ્ધહેમના પઠન પાઠનને જેમને બહોળો અનુભવ હૈય, પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ સર્વ સૂત્રો જેમના ખ્યાલમાં હોય અને હિમ વ્યાકરણની પ્રક્રિયા-હસ્તગત હોય તેવા વિદ્વાન વૈયાકરણ જ આ કાર્ય કરી શકે. જોગાનુજોગ છેલ્લા કેટલાય વર્ષોથી જૈન સમાજમાં જ્ઞાન પિપાસુઓની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરનાર વિદ્વમૂર્ધન્ય, પંડિત વર્ય શ્રી ચંદ્રશેખરજી ઝા હૈમ વ્યાકરણને અભ્યાસ કરાવતાં અવારનવાર જણાવતા કે આ પ્રક્રિયાનું વિદ્યાર્થીને ઉપયોગી નીવડે તે રીતે સંકલન થાય તે ખૂબ જ લાભદાયી બને પણ એ કાર્ય તેમના સિવાય કેણ કરી શકે? તેથી ૫. પૂ. આ.શ્રી. વિજય ચંદ્રોદયસૂરિજી મ. ની સતત પ્રેરણાને લક્ષ્યમાં રાખી પૂર્વોક્ત પંડિતજીએ નાદુરસ્ત તબીયત અને બુઝર્ગ વયે પણ એ કાર્ય ઉપાડી લીધું અને જાણે પોતાના પ્રાણુ ન પૂર્યા હોય તેમ સાંગોપાંગ પૂર્ણતાને પમાડયું. નૂતન પ્રક્રિયાની વિશિષ્ટતા સંસ્કૃત વ્યાકરણના પ્રાથમિક અભ્યાસીને અનુલક્ષી આ પ્રક્રિયા તૈયાર થઈ છે તેથી વ્યાકરણ વિષયક સર્વ *હકીકત સરળતાથી સમજાય તેને પૂર્ણ ખ્યાલ રાખવામાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 692