Book Title: Guruvandan Pacchakhana
Author(s): Jayghoshsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 88
________________ INTERCAUTEREREREK CRCRCRCRCR તેમજ ભાવ સમ્યક્ત્વી જીવ અવિરત હશે તો પણ ભૂતકાળનું નિંદારૂપ આવું પચ્ચક્ખાણ તેને પણ હોવાની આપત્તિ આવશે. ઉત્તર-૧૮. જે અંશમાં ભવિષ્યકાલીન પાપનો ત્યાગ છે તે જ અંશનું વર્તમાનકાલીન સંવરણ અને તે જ અંશની ભૂતકાલીન નિંદાગહ યથાર્થ છે એવી વિવક્ષા રાખી ૪૯-૪૯ ભાંગા કર્યાં છે. જે અંશનો ભવિષ્યમાં ત્યાગ નથી તેના સંવરણ અને ગર્હા અપ્રધાન હોવાથી ત્રિવિધ ત્રિવિધ ગર્હ સંભવિત હોવા છતાં પચ્ચક્ખાણના ભેદમાં ગણત્રી કરી નથી. માટે પચ્ચકખાણના ૩ અંશ છે ઃ(અતીત) અથ નંવામિ. (વર્તમાન) પડુપન્ન સંવમિ. (ભવિષ્ય) સાયં પદ્મવામિ. આ ત્રણે હોય તો જ પચ્ચક્ખાણ ભાવરૂપ બને. નહીંતર અભવ્યની જેમ દ્રવ્ય પચ્ચક્ખાણ જાણવું. અર્થાત્ જે અતીતના પાપોને નિંદતો નથી, અનુમોદે છે તે પચ્ચક્ખાણને યોગ્ય નથી. જે વર્તમાનના પાપને અટકાવતો નથી તે પણ પચ્ચક્ખાણને યોગ્ય નથી અને જે ભવિષ્યના પાપનો ત્યાગ કરતો નથી અથવા અલ્પકાળ માટે ત્યાગ કરી લાંબા ભવિષ્ય માટે પાપને ઇચ્છે છે તે પણ પચ્ચક્ખાણને યોગ્ય નથી. અલ્પ ભવિષ્યકાળનું પચ્ચક્ખાણ કર્યું હોવા છતાં જે જીવો તેનાથી અધિક આત્મબળ કેળવવાની અને અધિક ત્યાગ કરવાની ઇચ્છાવાળા છે તેઓનું પચ્ચક્ખાણ વિશુદ્ધ છે. પ્રશ્ન-૧૯. જેમ હિંસા વગેરેના પચ્ચક્ખાણમાં કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો ત્યાગ હોવાથી પચ્ચક્ખાણ કરાવનાર બીજા પાસે હિંસા કરાવતો નથી કે કરતા એવા બીજાની અનુમોદના કરતો નથી. તેમ ઉપવાસાદિ કરનાર આહારનો ત્યાગ કર્યો હોવાથી બીજા માટે ગોચરી લાવીને કે સાધર્મિક ભક્તિ વગેરે દ્વા૨ા બીજાને આહાર Jain Education International ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106