Book Title: Ganit Chamatkar Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Pragna Prakashan Mandir View full book textPage 6
________________ શતાવધાન અંગે કિંચિત્ - લે. પં. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી સાહિત્ય-સાંખ્ય–ગ-દર્શનાચાર્ય, એમ. એ. (સંસ્કૃત–હિન્દી) કાવ્ય-પુરાણ-તીર્થ, હિન્દી સંસ્કૃત–સાહિત્ય-રત્ન, સાહિત્યાલંકાર આદિ. “શતાવધાન એટલે શું ? આ પ્રશ્ન વારંવાર પૂછાયા કરે છે. જેને સુશિક્ષિત કહીએ તેઓ પણ એમાં અપવાદરૂપ નથી, એટલે તે અંગે અહીં કિંચિત્ લખવું ઉચિત માન્યું છે. શતાવધાન શબ્દ મૂળ તે સંસ્કૃત ભાષાને છે અને તે તત્સમ તરીકે હિંદી, બંગાળી, મરાઠી તથા ગુજરાતી ભાષામાં ઉતરી આવ્યું છે. તે શત અને અવધાન એ બે પદોના જોડાણથી બનેલું છે. તેમાં શતનો અર્થ સો અને અવધાનને અર્થ ધ્યાન કે લક્ષ્ય છે. તાત્પર્ય કે એકી સાથે જુદી-જુદી સે બાબતે પર લક્ષ્ય (Attention) આપી તેને ગ્રહણ કરવી, ધારી રાખવી અને યથાર્થ કમમાં તેનું ઉ ધન કરવું, તેને શતાવધાન કહે છે. મને વિજ્ઞાનને એ સિદ્ધાંત છે કે આપણું મન એકી સાથે બે વસ્તુ પર લય આપી શકતું નથી, એટલે અહીં એકી સાથેને અર્થ એક પછી એક સમજવાનું છે. * સામાન્ય મનુષ્ય બે, ચાર કે પાંચ વસ્તુ યાદ રાખી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 210