Book Title: Gacchachar Prakirnakam
Author(s): Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ नमोऽस्तु तस्मै जिनशासनाय આ પ્રસ્તાવના - ગચ્છાચાર પન્નામાં ત્રણ વિભાગ છે. (1) ગચ્છાચાર્યના આચારો (2) સાધુઓના આચારો (3) સાધ્વીજીઓના આચારો આમાં જે મૂળગાથાઓ છે, એમાં મોટા ભાગે ઉત્સર્ગનું વર્ણન છે. શાસ્ત્રોના વચનો આચાર બાબતમાં છ પ્રકારના હોય છે. (1) ઉત્સર્ગવચન (2) અપવાદવચન (3) ઉત્સર્ગ-અપવાદ વચન (4) અપવાદ-ઉત્સર્ગ વચન (5) ઉત્સર્ગ-ઉત્સર્ગ વચન (6) અપવાદ-અપવાદ વચન આ ગ્રન્થની મૂળગાથાઓમાં પ્રાયઃ ક્યાંય અપવાદવચન જોવા નહિ મળે. એનું કારણ એ કે શરૂમાં તો સંયમીને ઉત્સર્ગથી જ ભાવિત કરવાનો હોય છે. અપવાદથી નહિ. અપવાદ ઇન્દ્રિયોની સુખશીલતાનો માર્ગ છે, ઉત્સર્ગ ઇન્દ્રિયોને પ્રતિકૂળ માર્ગ છે. જીવ આમ પણ સુખશીલતાના સ્વભાવવાળો છે, એટલે જો અપવાદ બતાવવામાં આવે, તો એ એમાં જ ખેંચી જાય. આ તો વાંદરાને દારુ પીવડાવવા જેવું થાય. માટે શરૂમાં સંયમીને ઉત્સર્ગના પદાર્થો પીરસવામાં આવે અને એ ઉચિત જ છે. પણ આ કાળ એકદમ પડતો કાળ છે. સંઘયણ નબળા... સંયમાનુકૂળ નિમિત્તો ઓછા... જીવોની એવી વિશિષ્ટતમ પાત્રતા પણ દુર્લભ... એટલે સંયમજીવનમાં નાના-મોટા દોષો તો પ્રાયઃ દરેકના જીવનમાં રહ્યા જ કરે છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 182