Book Title: Drushtino Vishay Author(s): Hukamchand Bharilla, Rajnibhai Gosaliya Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન પૂજ્યશ્રી કાનજી સ્વામી સ્મારક ટ્રસ્ટ અંતર્ગત પૂજ્ય કહાન ગુરુદેવશ્રી સ્મૃતિ ગ્રંથ પ્રકાશનનું ૮૭મું પુષ્પ દ્રષ્ટિનો વિષય ગુજરાતીમાં પ્રકાશિત કરતાં અમો હર્ષનો અનુભવ કરીએ છીએ. | ગુજરાતી મુમુક્ષુ સમાજ અધ્યાત્મતત્વનો સુલભતાથી લાભ લઈ શકે એ ભાવનાથી પ્રેરાઈ આ ગુજરાતી સંકલન પ્રકાશિત કરવામાં આવેલ છે. આ કૃતિનાં મુળ લેખક-પ્રવચનકાર ડૉ. હુકમચંદજી ભારીલ્લ તો સંપૂર્ણ મુમુક્ષુ સમાજની સમસ્ત ગતિવિધિઓનાં આધાર સ્તંભ છે એમનો જેટલો આભાર માનવામાં આવે તે ઓછો છે. તેમના મૂળ દ્રષ્ટિ કા વિષય” નામના હિંદી પુસ્તકમાં સમાવિષ્ટ અનેકવિધ મુદ્રાઓનું જુદા જુદા પ્રકરણોમાં વર્ગીકરણ કરીને પાઠ્યપુસ્તકરૂપે પ્રસ્તુત કરવાનો આ સંકલનમાં એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે, તે બદલ શ્રી રજનીભાઈ ગોસલીયાનાં અમો આભારી છીએ. આ પુસ્તકના ટાઇપસેટીંગ અને ડિઝાઈનીંગ માટે મે. ક્રીએટીવ પેજ સેટર્સના શ્રી સમીર પારેખ તથા સમયસર સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ મે. પારસ પ્રીન્ટ્સના શ્રી રાજુભાઈ પારેખનાં આભારી છીએ. અંતમાં આ કૃતિનાં માધ્યમથી જિનાગમનાં મર્મને સમજ સમસ્ત વાચકગણ આત્મહિતને પ્રાપ્ત થાઓ એજ ભાવના. પૂજ્યશ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટીગણPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 142