________________
१८
મહારાજે વિ. સં. ૧૩૮૭માં અપાપાબૃહત્કલ્પ જેનું બીજું નામ દીપોત્સવકલ્પ છે તેની રચના પ્રાકૃતભાષામાં કરેલ છે. તેનો ઉલ્લેખ કલ્પના અંતે આ પ્રમાણે છે.
પ્રસ્તુત કલ્પમાં પણ સંપ્રતિરાજા આર્યસુહસ્તસૂરિને દીપાલિકાપર્વનું લોક અને લોકોત્તરમાં ગૌરવ શાથી છે? તે પૂછે છે અને ગુરુભગવંત વીરપરમાત્માનું સંક્ષિપ્તમાં જીવન કહીને ચરમ ચાતુર્માસ પરમાત્મા મધ્યમપાવાપુરીમાં હસ્તિશાલરાજાની શુશાળામાં બીરાજે છે ત્યાં આયુષ્યશેષ જાણીને સોળ પ્રહરની દેશના આપે છે, તે વખતે પુણ્યપાલ રાજા ભગવાનને વંદન કરવા આવે છે અને પોતાને આઠ સ્વપ્ન આવ્યાં છે તે આઠ સ્વપ્નોનું ફળ પૂછે છે અને પરમાત્મા આઠ સ્વપ્નોનો ફળનિર્દેશ કરે છે. આઠે સ્વપ્નોના ફળાદેશ શ્રીજિનપ્રભસૂરિમહારાજે ખૂબ સુંદર શૈલિમાં વર્ણવેલ છે. આઠમા સ્વપ્નના ફલાદેશમાં
અગ્રહિલગ્રહિલનુપ'નું દૃષ્ટાંત આપેલ છે ત્યારપછી લૌકિક દૃષ્ટાંતથી પણ દુષમ સમયના વિલાસો બતાવેલ છે તેમાં યુધિષ્ઠિર વગેરે અને કલિનું નિરુપણ કરેલ છે. ત્યારપછી ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે, ભગવંત ! આપના નિર્વાણપછી ભાવીમાં શું શું થશે ? અને ભગવાન તે સઘળી પરિસ્થિતિનું વર્ણન કરે છે તેમાં ભાવમાં શ્રમણો, શ્રાવકો વગેરે કેવા થશે તે માટે ત્રણ શ્લોકો બતાવ્યા છે. ત્યારપછી કલ્કી રાજાનું વર્ણન કર્યું છે. ત્યારપછી પાંચમા આરાના અંતે દુખસહસૂરિ નામના આચાર્ય થશે તેમનું વર્ણન કરીને પાંચમા આરાના અંતે ચતુર્વિધ સંઘ વગેરેનો ઉચ્છેદ કેવી રીતે થશે તે બતાવેલ છે. ત્યારપછી છઠ્ઠી આરાનું વર્ણન, ઉત્પસર્પિણીકાળના બીજા આરામાં પાંચ પ્રકારના મેઘો ભરતક્ષેત્રમાં વરસશે
૩. લઘુ ખરતરગચ્છપ્રવર્તક જિનસિંહસૂરિના શિષ્ય જિનપ્રભસૂરિ એક અસાધારણ પ્રતિભાવાન
અનેક ગ્રંથના કર્તા હતા. તેમણે સં. ૧૩૨૭માં શરૂ કરીને ૧૩૮૯માં વિવિધતીર્થકલ્પ-કલ્પપ્રદીપ પૂર્ણ કર્યો. તેમાં કુલ ૫૮ કલ્પો છે - તે તીર્થોની જુદે જુદે સમયે પોતે યાત્રા કરી છે અને તેના કલ્પો રચ્યા છે, જેમ કે અપાપાબૃહત્કલ્પ સં. ૧૩૮૭માં દેવગિરિ (હાલના દોલતાબાદ)માં રચ્યો.
[જૈ.સા.સ.ઈ. નવી આવૃત્તિ પૃ. ૨૭૫ ૫. ૬૦૨] ४. इय पावापुरीकप्पो दीवमहुप्पत्तिभणणरमणिज्जो ।
जिणपहसूरीहिं कओ ठिएहिं सिरिदेवगिरिनयरे ॥१॥ तेरहसत्तासीए विक्कमवरिसंमि भद्दवयबहुले ।
पूसक्कबारसीए समत्थिओ एस सत्थिकरो ॥२॥ [जि०प्र०दी० कल्पे ] ૫. નહરડમરી સમાહિરા નિબુશરા ય |
होहिंति इत्थ समणा दससु वि क्खित्तेसु सयराहं ।।१।। ववहारमंततंताइएसु निच्चुज्जयाण य मुणीणं । गलिहिति आगमत्था अत्थलुद्धाण तद्दियहं ॥२॥ उवगरणवत्थपत्ताइयाण वसहीण सड्ढयाणं च । ગુણિંતિ પુi Mદ નરવળો ડુંવીને રૂા. [fquoઢી વત્વે ]
kalp-t.pm5 2nd proof