Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ બુદ્ધિભા ૩. એ નવ પદ નિયંત્રમાં નવ પદ હોય છે તેનાં દેવ, ગુરૂ, અને ધર્મ તત્વને સમાવેશ કરવામાં આવેલા છે. સિદ્ધચક્રયત્રની રચના ગોળાકાર આક પાંખડીના કમળ રૂપે કરવામાં આવેલી છે. આ પાંખડીમાં આ પદ અને મધ્યમાં એક પદ એમ નવ પદ્વતી તેમાં સ્થાપના કરવામાં આવે એવી રીતે એ કમળની રચના છે. મધ્યમાં શ્રી અરિહત ૫૬, તેના ઉપર શ્રી સિદ્ધદ, તેમની ડાળી બાજુએ શ્રી આચાર્ય, નીચે શ્રી ઉપાધ્યાય અને જમણી ખાતુએ શ્રી મુનીષદની સ્થાપના કરેલી છે, બાકીના ચાર ખુાની ચાર પાંખડીમાં શ્રી સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર, અને નવ પદ્મની સ્થાપના કરવામાં આવેલી છે. ૩૨૮ ૪, દેવ તત્વમાં શ્રી અરિહંત અને સિદ્ધપદને ગુરૂતત્વમાં શ્રી આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ (સાધુ) પદને અને ધર્મતત્વમાં શ્રી દર્શન, જ્ઞાન ચરિત્ર અને તવ પદના સમાવેશ થાય છે. ૫. જૈનધર્મમાં ધર્મ આરાધનનો મુખ્ય હેતુ આત્માની ઉન્નતિ અને તેના પરિણામે પરમાત્મપદ, મેક્ષ, સૌદ્ધ, એવા પર્યાયથી ઓળખાતી સ્થિતિ પ્રાપ્ત કરવાનો છે. ૬. વ્યવહારિક અથવા ધાર્મિક ગમે તે ક્રિયા કરવામાં ક્રિયા કરનારે પોતે શા ઉર્દુશથી ક્રિયા કરે છે, એ વાત પોતાના મનથી નિશ્ચિંત કરવી. એઇએ, પછી શસ્ત્રોક્ત રીતિએ તે ક્રિયાનું આરાધન કરવુ જો એ, અને પોતે જે હેતુ મુકરર કરેલ હોય તે પ્રાપ્ત થતાં સુધી તે ક્રિયા કરવા મા રહેવુ જોઇએ. ઇ રીતિએ ખાલીએ તા સાધ્ધ, સાધન અને સાધક આ ત્રણ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. સાધક જે પોતાની આત્મિક ઉન્નતિને ટક, એણે પોતે સાધ્ય શું . પ્રાપ્ત કરવાનું છે, તેને બહુ વિચાર કરી તે મુકરર કરવું એઈએ, તે મુકરર કર્યા બાદ તે કાર્યની પ્રાપ્તિના માટે સાધન કરવું તેએ. તે સાધક વીર્યવાન ઉત્સાડી હશે, અને સાધત શુદ્ધ હશે તે પછી સાધ્ય પ્રાપ્ત થયા સિવાય રહેવાનું નથી. આ સાધ્ય કઈ તાત્કાલિક પ્રાપ્ત થતું નથી, તે પ્રાપ્ત થવામાં કેટલેા કાળ લાગે છે. એ વાત ખરી છે, પણ સાધકે પોતાની શુદ્ધ સાધનામાં શ્રદ્દા રાખી તેઇએ કે પોતાની શુદ્ધ સાધનાના પરિામે સાધ્ય પ્રાપ્ત થયા સિવાય રહેવાનું નથી. આવી શુદ્ધ ભાવનામાંથી કદી પણ તેણે પાછા હઠવું નહિ જોઈએ, ઉલટ ભાવનામાં ઉત્તરોત્તર આગળ વધવું જોઇએ. ૭. આપણે વ્યવકારિક–સસારિક બાબતાને તપાસ કરીએ છીએ તે આ સિદ્ધાંતની સત્યતા આપણુને માલુમ પડે છે. હાલના જમાનામાં વિદેશીઓએ જે નવીન નવીન જાતની શાધે કરેલી છે, એ શેાધેમાં શેાધકે કેટલે કેટલા પ્રયાસ કરેલો હોય છે તે શેાધકાનાં ચરિત્ર આપો વાંચીએ છીએ તે આપણને માલમ પડે છે કે તેમની તે શાધેમાં વિઘ્ન–અંતરાય આવવામાં કઈ બાકી રહેલી તથી હાતી, પશુ દ્રઢ નિશ્રયવાળા કોધક પોતાની ધારેલી મુરાદમાં પાર પડતા સુધી પેાતાનું કાર્ય પડતું મૂકતા નથી પડ્યું તેમાં જુ અથવા જળાની માફ્ક તેને વળગી રહે છે, અને પરિણામે કાર્યસિદુિ ાપ્ત કરે છે. અને તે શૈધનું પરિણામ જોઈ આપણું આશ્ચર્ય પામીએ છીએ. ૮. માા પદ પ્રાપ્ત કરવાને માટે અસંખ્ય યોગ સાધન જ્ઞાનીઓએ શાસ્ત્રમાં બતાવેલા છે. તેમાં મુખ્ય યોગ નવપદ આરાધના શ્રૃતાવેલા છે. જ્ઞાનીઓએ બતાવેલા આ મુખ્ય યોગના સંબધી અશ્રદ્ધા કરવાનું કઈ પણ કારણ નથી. અન્ના થતી હોય તે અબ્રા ફરતા પહેલાં વાસ્તવિક ચીજ શું છે, તેને તપાસ કરવા જોઇએ. શાસ્ત્રકારોએ શા માટેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68