Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 14
________________ કક૬ અદિપભા. નામાં હેય; બાળક રમતમાં ધુળનાં કિવા રમકડાનાં ધરે બનાવે છે, અને તેમાં આનંદ માને છે, તે પછી ભાગી નાખે છે, તેના જેવી આ ભવચેષ્ટા તેને લાગે છે. અષ્ટસિદ્ધિ અને નવ નિધિ પિતાના આત્મામાં રહેલી છે, એવી કઇ ભાવના તેનામાં હોય છે. પાંચ ઇંદિયના જે વિકારે છે, તેમાં તેની રમણતા ન હોય, જગતના પુદ્ગલિક વિકારામાંથી યથાશક્તિ પિતાનું મન પાછું હઠાવી તેને છોડનારે હૈય, સ્થિર ચિત્તવાન હય, ચપળ તેમજ નિષ્ફર ન હોય, સંધિવાન હોવાની સાથે દોષોને નાશ કરનાર અને નવિન નવિન ઉત્તમ ગુણો પ્રગટ કરનાર હોય, ઈત્યાદિ ગુણે સમ્યકત્વવાન જીવમાં સ્વભાવે હોય છે. સંસાર ચક્રમાં ભમતાં-જન્મમરણ કરતાં અનંતકાળ એ અને જશે. હજુ કેટલે કાળ ભમવાનું છે, એની સાની મહારાજ સિવાય કોને ખબર નથી. જનશાસ્ત્રકારોએ તે સમજની એક ચી બતાવી છે અને તે એ છે કે જે જીવને એક વખત સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થયા તો પછી તેને ભાવી અનંતકાળ સુધી ભમવું પડવાનું નથી, પણ ભેડા બવમાં તે જીવ પોતાની યથાર્થ આ ન્નતિ કરી મોક્ષસ્થાન મેળવી શકશે. તે જીવ બહુલકર્મ હોય તો પણ અર્ધ પુલ પરાવર્તન કાળમાં નિશ્ચય મોક્ષ પદ પ્રાપ્ત કરશે. જેના ભવેન ગણત્રી સમ્યકત્વગુણ ઉત્પન્ન થાય ત્યારથીજ ગણાય છે. સમ્યકત્વ ઉતપન્ન થતા પહેલાં જે પરભવના આયુષ્યને બંધ પાયો ન હોય તથા સમ્યકત્વ ગુણ ઉત્પન્ન થયો હોય પણ પાછે તે ગુણ વમી નાખ્યો ન હોય તે બે સિવાયના સમ્યકત્વવાન જીવ પરભવમાં દેવતાનું આયુધ બાંધે, અને આ દેહ છોડી દેતપણામાં ઉત્પન્ન થાય. તિર્થંકર મહારાજ ની ભવેની ગણત્રી પણ સંખ્યકત ગુણ ઉત્પન્ન થયે હોય તે ભવથી જ ગણાય છે. એ ઉપરથી સમ્યકત્વ ગુણ કેટલો મહતવને છે, તેનું મહત્વ આપણે સમજી શકીએ છીએ, અને તે ગુમ પ્રગટ કરવાની આપણું ફરજનું આપણને ભાન થાય છે. સમ્યકજ્ઞાન–ત્યાર પછી ધર્મ તત્વમાં જ્ઞાનપદની ચિજના છે. જેનદર્શનમાં સમ્યજ્ઞાન, દર્શન, અને ચારિત્ર, એ ત્રણ ગુણોને રત્નની ઉપમા આપી છે. વ્યવહારમાં–દ્રવ્યમાં ઝવેરાતની ઉત્તમ પ્રકારના દ્રવ્યમાં ગણત્રી કરેલી છે, તે ઝવેરાતમાં પણ રત્નની ગણના ઉત્તરમાં આવે છે તેથી આ આમિક ગુણને રત્નની ઉપમા સિવાય બીજી કઈ ઉપમા આપી શકાય. એ ઉપરથી શાસ્ત્રકારોએ આત્માના બીજ અનંત ગુણોમાં આ ત્રણ ગુણની અધિકતા બતાવી છે અને શાંત ચિત્ત અને સરળ હૃદયથી વિચાર કરવાથી તેની સત્યતાનું પ્રતીતિ થાય છે. સમ્યક્ દર્શન સંબંધમાં યત્કિંચિત ઉપર દિગદર્શન કરવામાં આવ્યું છે. હવે આપણે સમ્યક જ્ઞાન સંબંધી ઉહાપોહ કરીએ. સમ્યકજ્ઞાનની વ્યાખ્યા શાસ્ત્રકારોએ એવી રીતની કરેલી જણાય છે કે જે જ્ઞાનથી વસ્તુને યથાર્થ ધર્મ જાણવામાં આવે તો જગતની અંદર જે જે પદાર્થ છે, તે તે પદાર્થનો યથાર્થ બોધ જેનાથી થાય, એવું જ્ઞાન જ શાનની કેટીમાં આવી શકે. જેનાથી વસ્તુને યથાર્થ ધર્મ ન સમજાય, તેને સમ્યજ્ઞાનની ઉપમા શી રીતે આપી શકાય ? ધર્મના સ્વરૂપનું ઓળખાણ, આત્માના સ્વરૂપનું ઓળખાણ, જડ અને ચેતન્યનું ઓળખાણ, સ્વ અને પરનું એાળખાણ, ભક્ષ અભક્ષ અને પિય અને વિચાર, સહદુને ભેદ અને પવિત્ર તથા દુરાચારને ભેદ અને કર્તવ્ય અકર્તધ્વનું સ્વરૂપ સમજાવનાર જ્ઞાન છે. એ જ્ઞાન એ આત્માની શક્તિ વિભૂતી છે. એ કંઈ નવિન વસ્તુ નથી, પણ તેને ઉપર આવર્ણ લાગેલાં છે. તેને ખપાવીને તે રાતિને ખીલવવી એજ આપણું કર્તવ્ય છે. ઝવેરાત, પથ્થર અને કયલાની ખાણમાં ઉત્પન્ન થાય છે, તે વખતનું તેનું સ્વરૂપ જોયું

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68