Book Title: Buddhiprabha 1915 02 03 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 64
________________ બુદ્ધિપ્રભા, કિંમતના પ્રમાણમાં દવા ગુણ કરે એ ખોટો વહેમ છે અને એવા બેટા વહેમથીજ દવા ગુણવાળી ઇનાં બરાબર અસર કરતી નથી. આરેગ્યતા નિરૂધમપણે બેસી રહેવાથી પ્રાપ્ત થતી નથી. જેટલું મહેનતથી પ્રાપ્ત થાય છે તેનાથી વધારે બેસી રહેવાથી ગુમાવવું પડે છે. જેવા વિચારોનું સેવન કરશો તેવું પ્રાપ્ત થશે. આરોગ્યતાના વિચાર કરશે તો આરગ્રજ મળશે, અને રોગના વિચાર કરશે તે રોગના ભંગ થશે. નિયમસર ફરવા જવું, નિયમસર કસરત કરવી, અને નિયમસર દરેક કાર્ય કરવું, તેથી શરીર મજબુત તથા નિરોગી થશે. વિજય રસથી ભરપુર પુસ્તક વાંચવાં નાટકો જેવાં, સ્ત્રીઓના અલંકારોની વાત કરવી, અને સ્ત્રીઓનાં અંગે પાંગ નિરખવાથી મનોવૃત્તિઓ કાબુમાં નહિ રહેતાં અવળા રસ્તે મન ચાલ્યું જાય છે. ન્હાની વખતે પ્રથમ માથુ પલાળવું, તન્દુરસ્તીવાળાને ટાઢા પાણીએ નહાવાથીજ શરી. રને બળ તથા ફાયદો થાય છે. ગરમ પાણી સાથે ઠંડુ પાણી મેળવીને સ્નાન કરવાથી શરીરમાં કળતર ઉત્પન્ન થાય છે. દરેક રોગી એવધ વાપરતે હેય અગર ન વાપર હાય ૫ ૫ પાળવાની મુજરૂર છે, ખાવા પીવામાં બેપરવાઈ રાખ એજ તન્દુરસ્તી બગાડવાનું મુખ્ય કારણ છે. તમાકુ-બોડી કાળજે દાહ પાડી દેહને બાળી નાંખે છે, તેમજ મુખમાં ચાંદી પાડી ઉધરસ તથા ગરમીનાં દરદ પદા કરે છે. દારૂપાનનું નીય વ્યસન તન, મન અને ધનને બહુજ નુકસાનકર્તા છે. તેનાથી અનેક પ્રકારની વ્યાધિ ઉત્પન્ન થાય છે. ચાહ બળ કરે છે, અને કફી નિદ્રાને રોકે છે. અફીણથી ઝાડો બંધ થાય છે તથા એદીપણું આવે છે. ભાંગ અને ગાંજાના સેવનથી મગજ બગડે છે, તથા જથુ અભ્યાસથી દિવાના થઈ જવાનો સંભવ રહે છે. * કેનને લાંબા વખત સુધી ઉપગ કરવાથી શારીરિક અને માનસિક શક્તિઓ મંદ પડી જવા સાથે બળને નાશ થાય છે. આરોગ્યતા રૂપી ફળ મેળવવા માટે મનેવિકાને વશ કરવા જોઈએ. ઘણાં મરચાં, તેલ, ખટાઇ, ઘણો ગરમ તથા કંડ રાક અને મીઠાઇ વિગેરે ભારે ખેરાક ખાવાથી ધાતુક્ષીણતા વિગેરે લાગુ પડે છે. શરીર બળની વૃદ્ધિ માટે નિત્ય કસરત કરવી જરૂરી છે અને મને બળની વૃદ્ધિને માટે યોગાભ્યાસ જરૂરી છે. આરોગ્યતા પ્રાપ્ત કરનાર ઇચ્છનારે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે “હું નિત્ય નિયમિત અને વખતસર હિતકર જોજન કરીશ.” બીજી પ્રતિજ્ઞામાં હું કોઈ પણ વ્યસન કરીશ નહિ, પિતે સ્વચ્છ રહીશ. મારા ઉપયોગમાં આવતાં વસ્ત્ર, ઘર, પાણી, ખોરાક્ના પદાર્થો વિગેરે સર્વે સ્વચ્છ રાખી વિષયમાં નિયમિત રહીશ. આરોગ્યતાથીજ ધર્મ, અર્થ અને કામ પ્રાપ્ત કરી શકાય છે પરંતુ શરીરને રોગ

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68