Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી સિદ્ધગિરિના આશ્રયથી ઉદ્ધાર પામેલા કંડૂરાજાની થા. : પૂર્વે કંડુ નામે ચંદ્રપુરીનો રાજા હતો. તે અનેક ખોટાં વ્યસનમાં ગ્રસ્ત, મહાપાપી અને યમ જે ક્રૂર હતું. અનેક અન્યાયાચરણથી પ્રજાને પડતાં તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો, તેથી તેને દેહ ક્ષીણ થવા માંડ્યો, એટલે તેને મિત્રની જેમ ધર્મનું સ્મરણ થયું. “મૂઢબુદ્ધિવાળા જીવો જ્યાં સુધી સર્વ રીતે સુખી હોય છે ત્યાંસુધી ધર્મને કિંચિત્માત્ર સંભારતા પણ નથી; પરંતુ જયારે મૃત્યુનો ભય લાગે છે ત્યારે જ તેઓ ધર્મને યાદ કરે છે.” - એકદા તે કંડૂરાજા પોતે કરેલાં અન્યાયાચરણને સંભારતાં ખિન્નચિત્તે સભામાં બેઠેા હતો, એવામાં ક૯પવૃક્ષના પત્ર ઉપર લખેલો એક દિવ્ય કલેક કોઈએ આકાશમાંથી મૂકેલે તેને પાસે આવી પડ્યો. તે લેક તેના અન્યશાળી પૂર્વજોના પુન્યથી વશ થયેલી તેની ગોત્રદેવી અંબિકાએ તેને જાગ્રત કરવ નાખેલ હતું. તેનો ભાવાર્થ એ હતો કે પૂર્વ ભવમાં કરેલ સુકૃતથી સઘળી સંપત્તિને પામ્યા છતાં જે મૂઢારમા આ ભવમ ધર્મને જ વિસારી દે છે તે સ્વસ્વામીદ્રોહ કરનાર મહાપાતકી શ્રેય શી રીતે થઈ શકશે ?" ઉક્ત કલાકનો ભાવાર્થ મનમ વિચારી પોતે કરેલાં અનેક અન્યાયાચરણને સંભારી બહુ ખે પામતો ચિંતાતુર થયેલ તે રાજા રાત્રિના વખતે એકલે રાજ્ય છોડી મરવાને માટે નિશ્ચય કરી ચાલી નીકળ્યો. જેવે જય શી કલા અને શનિ નીકળ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38